ચેન્નઈ ટેસ્ટમાં ભારતની મોટી જીત, ઈંગ્લેન્ડને 317 રનથી આપ્યો પરાજય

Sports
Sports

ઈંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પહેલી મેચ 227 રનોથી હાર બાદ ભારતે તેનો બદલો લીધો છે. 482 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ચોથા દિવસે 164 રન પર સમેટાઈ ગઈ અને ભારતે 317 રનોથી જીત મેળવી. આ ઈંગ્લેન્ડ સામે ભારતની સૌથી મોટી જીત છે.

આ પહેલા 1986માં લીડ્સમાં કપિલ દેવની કપ્તાનીમાં ઈંગ્લેન્ડને 279 રનથી પરાજય આપ્યો હતો. હવે આ એક રેકોર્ડ કોહલીના નામ સાથે જોડાય ગયો છે. જેની કપ્તાની હેઠળ ભારતે ન માત્ર ઈંગ્લેન્ડને રેકોર્ડ રનોથી પરાજય આપ્યો પરંતુ 89 વર્ષોના ટેસ્ટ ઈતિહાસની પાંચમી સૌથી મોટી જીત નોંધી.

ઈંગ્લેન્ડ પર 317 રનની જીત ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ક્રિકેટમાં પાંચમી સૌથી મોટી જીત છે. ભારતીય ટીમે પોતાની સૌથી મોટી જીત સાઉથ આફ્રિકા સામે ડિસેમ્બર 2015માં દિલ્હીના કોટલામાં મેળવી હતી ત્યારે વિરાટ કોહલીને આગેવાનીમાં આફ્રિકાની ટીમને 337 રનોથી હાર આપી હતી.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.