ભારતીય ક્રિકેટ ટીમને બાયો સિક્યોર વાતાવરણ પુરૂ પાડીશુ

Sports
Sports

સાઉથ આફ્રિકામાં જોવા મળેલા કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોમને પગલે દુનિયાભરમાં ચિંતાનું વાતાવરણ છે. ત્યારે અમેરિકા-બ્રિટન સહિતના દેશોએ સાઉથ આફ્રિકા જતી-આવતી ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે આજે ફરી સ્પષ્ટ કર્યું હતુ કે, ટીમ ઈન્ડિયાનો ડિસેમ્બરમાં યોજાનારો સાઉથ આફ્રિકા પ્રવાસ હજુ જારી છે. અમે કાર્યક્રમમાં કોઈ ફેરફાર કર્યો નથી. સાઉથ આફ્રિકાના બોર્ડે બીસીસીઆઇની સરાહના કરતાં કહ્યું છે કે અમે ભારતીય ક્રિકેટ ટીમને બાયો સિક્યોર વાતાવરણ પુરુ પાડીશું. આમ ભારતીય ક્રિકેટ ટીમ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં સાઉથ આફ્રિકા પ્રવાસ માટે રવાના થશે. જ્યાં બંને ટીમો વચ્ચે આગામી 17મી ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ રમાશે. ભારત અને સાઉથ આફ્રિકા ત્રણ ટેસ્ટ,ત્રણ વન ડે અને ચાર ટી-૨૦ રમાશે. બીજીતરફ સાઉથ આફ્રિકાની ટીમનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન થયું જેને ૩૦ વર્ષ પૂરા થઈ રહ્યા છે. જેની ઉજવણી આગામી 2 જાન્યુઆરી,2022ના રોજ કેપટાઉનમાં થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.