ભારત નિયમિત પણે દરેક સિરિઝમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે

Sports
Sports

ભારત હવે પોતાની દરેક ટેસ્ટ સિરિઝમાં ડે-નાઈટ ટેસ્ટ રમશે તેવુ એલાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કર્યુ છે.

ભારતે તો અત્યાર સુધી 3 ડે નાઈટ ટેસ્ટ મેચ રમી છે.જેમાંથી બે મેચમાં તે જીત્યુ છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.2019માં ભારત પોતાની પહેલી ડે નાઈટ ટેસ્ટ બાંગ્લાદેશ સામે કોલકાતામાં રમ્યુ હતુ.

ગાંગુલીએ કહ્યુ હતુ કે, ટેસ્ટ ક્રિકેટનુ ભવિષ્ય આ જ છે.લોકો દિવસનુ કામ પુરુ કરીને સાંજે ટેસ્ટ ક્રિકેટ જોઈ શકે છે.સામાન્ય સંજોગોમાં દિવસે રમાતી ટેસ્ટ મેચ પાંચ દિવસ સુધી જોવા માટે લોકો પાસે સમય નથી હોતો.ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં તમે જોઈ શકો છો કે નાઈટ ક્રિકેટ વખતે સ્ટેડિયમ ભરેલા હોય છે.મને આશા છે કે, ભારત જ્યારે ઘરઆંગણે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમશે ત્યારે મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.