ભારત ન્યુઝીલેન્ડનો વ્હાઈટવોશ કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે

Sports
Sports

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે આવતીકાલે શ્રેણીની ત્રીજી ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાશે. કેપ્ટન રોહિત અને કોચ રાહુલના માર્ગદર્શનમાં નવી શરૂઆત કરી રહેલી ટીમ ઈન્ડિયાએ બંને મેચો જીતીને શ્રેણી પોતાના નામે કરી છે. ત્યારે ભારત આવતીકાલે ન્યુઝીલેન્ડનો વ્હાઈટવોશ કરવાના ઈરાદા સાથે ઉતરશે. જે મેચનો પ્રારંભ ભારતીય સમય પ્રમાણે સાંજે 7:00 વાગ્યાથી થશે. આઇપીએલમાં શાનદાર દેખાવ બાદ ટીમમાં સ્થાન મેળવનારા ઓલરાઉન્ડર વેંકટેશ ઐયર અને હર્ષલ પટેલને તક મળી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ધરાવતા ઈશાન કિશનની સાથે આઈપીએલના ઋતુરાજ ગાયકવાડ તેમજ આવેશ ખાનને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શક્યું નથી. આમ ભારતીય ટીમ મેનેજમેન્ટ આવતીકાલની ઔપચારિક ટી-20માં યુવા ખેલાડીઓને તક આપે તેવી શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.