![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/11/content_image_835b2b11-a449-487f-bf6a-65e4fc65c138.jpeg)
ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં સ્પિન બોલિંગની ભૂમિકા મહત્વની સાબિત થશે
ન્યઝીલેન્ડની પ્રવાસની ટીમના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું છે કે ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં સ્પિન બોલિંગની ભૂમિકા મહત્વની સાબિત થશે. ત્યારે મને આશા છે કે અમારા સ્પિનરો એજાઝ પટેલ અને સોમરવિલે ઝડપથી પીચ અને તેની પરિસ્થિતિને અનુકૂળ થઈ જશે અને તેઓ ટીમને સફળતા અપાવશે. ભારતે વર્ષ 2016માં કાનપુરમા રમાયેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને 197 રનથી કારમો પરાજય આપ્યો હતો. જેમાં અશ્વિને નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. એક તરફ ભારત પાસે અશ્વિન-જાડેજાની સ્પિન બોલિંગ જોડી છે. જે 600થી વધુ વિકેટ ઝડપી ચૂકી છે. જ્યારે ન્યુઝીલેન્ડના એજાઝ-સોમરવિલેની જોડીએ 13 મેચમા 41 વિકેટ મેળવી છે.