વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ PM મોદીનો માન્યો આભાર, જાણો શું કહ્યું…

Sports
Sports

બાર્બાડોસમાં સાઉથ આફ્રિકા સામે રમાયેલી ફાઈનલ મેચ જીતીને ભારતે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. કેપ્ટન રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાની જીતથી દરેક લોકો ખુશ છે. ભારતની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ X પર પીએમ મોદીનો આભાર માન્યો છે.

શું કહ્યું પીએમ મોદીએ?

PM મોદીએ રોહિત શર્માને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ લખ્યું હતું- “પ્રિય રોહિત શર્મા, તમારી આક્રમક માનસિકતા, બેટિંગ અને કેપ્ટનશિપે ટીમ ઈન્ડિયાને એક નવો આયામ આપ્યો છે. તમારી T20 કારકિર્દી હંમેશા યાદ રાખવામાં આવશે.” પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે તેમણે રોહિત શર્મા સાથે પણ વાત કરી છે.

રોહિત શર્માએ આપ્યો જવાબ

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પીએમ મોદીને X પર જવાબ આપ્યો છે. રોહિત શર્માએ લખ્યું- “નરેન્દ્ર મોદી સાહેબ, આ શબ્દો માટે તમારો ખૂબ ખૂબ આભાર. આખી ટીમ અને મને વર્લ્ડકપ ઘરે પરત લાવવામાં સક્ષમ થવા પર ગર્વ છે. અમે પણ ખૂબ જ પ્રભાવિત છીએ કે કેવી રીતે આ ક્ષણે દરેકને ખુશી આપી. “

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.