કોરોનાને કારણે બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડની સાથે રમાનારી ઘરેલુ સીરીઝ કરી રદ્દ

Sports
Sports

નવી દિલ્હી,
કોરોનાના વધતા કેસની વચ્ચે ક્રિકેટની વાપસીની આશા પર મોટો ફટકો વાગ્યો છે. બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડની સાથે રમાનારી ઘરેલુ સીરીઝને રદ્દ કરી દીધી છે. ન્યૂઝીલેન્ડને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કે તે ખેલાડી અને સ્ટાફને લઇને કોઇ ખતરો ઉઠાવવા માંગતુ નથી.
બીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી નિઝામુદ્દીન ચૌધરીએ – હાલની કાવિડ-૧૯ મહામારીને જાતા ઓગસ્ટ ૨૦૨૦માં એક પૂર્ણ ક્રિકેટ સીરીઝની મહેમાની કરવાની તૈયારીઓ કરવી પડકારરૂપ બનશે. અમે ખેલાડી, સપોર્ટ સ્ટાફ અને સંબંધિત હિતધારકોની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઇને કોઇ ખતરો નથી લેવા માંગતા.
તેમને કે આ સ્થતિમાં, બીસીબી અને એનજેડસીએ મળીને સીરીઝને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. અમને લાગે છે કે આનાથી ખેલાડીઓ અને અધિકારીઓ તથા બન્ને ટીમોમાં ઉંડી નિરાશા ફેલાશે. પણ મને લાગે છે કે ન્યૂઝીલેન્ડ પણ આ સ્થતિને સમજે છે. બાંગ્લાદેશને ન્યૂઝીલેન્ડની બે મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે, જે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પયનશીપનો ભાગ છે. આ પહેલા બાંગ્લાદેશ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી સીરીઝને પણ રદ્દ કરી ચૂક્્યુ છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.