અશ્વિને હરભજનસિંહનો ટેસ્ટમાં સૌથી મોટો રેકોર્ડ તોડી દીધો
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ કાનપુર ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે ટોમ લાથમને આઉટ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તેણે પોતાના સીનિયર બોલર હરભજનસિંહને સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાછળ છોડી દીધો છે. આમ એક દિવસ પહેલાં તેણે વિલ યંગને આઉટ કરતાં ભજ્જીના 417 વિકેટના રેકોર્ડની બરાબરી કરી હતી. કાનપુર ટેસ્ટના ત્રીજા દિવસે અશ્વિને પાકિસ્તાનના દિગ્ગજ વસીમ અકરમનો સૌથી વધુ ટેસ્ટ વિકેટ ખેરવવાનો રેકોર્ડ તોડ્યો હતો. હરભજનસિંહે 103 ટેસ્ટમાં 417 વિકેટ છે. બીજીબાજુ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમે 104 ટેસ્ટ મેચમાં 414 વિકેટ મેળવી હતી. જ્યારે અશ્વિન 80 ટેસ્ટ રમી ચૂક્યા છે. આમ તો ભારત માટે સૌથી વધુ વિકેટ મેળવવાનો રેકોર્ડ પૂર્વ લેગ સ્પીનર અનિલ કુંબલેના નામે છે જેણે 619 વિકેટ મેળવી છે.