ઈન્જરી પછી BCCIએ ફિટનેસ મુદ્દે રોહિતને ખખડાવ્યો!
દ.આફ્રિકા ટૂર પહેલા ઈન્જરીના કારણે નામ પરત લેનારા ઈન્ડિયન કેપ્ટન રોહિત શર્મા હવે એકદમ ફિટ છે. વળી મીડિયા રિપોર્ટ્સના આધારે રોહિતની ઈન્જરીને જોતા BCCIએ તેને સ્પષ્ટશબ્દોમાં વજન ઘટાડી ફિટનેસ સુધારવા ટકોર કરી હતી. જેના પરિણામે હિટમેને NCAમાં ખાસ ડાયટ અનુસરીને વજન ઘટાડ્યું છે. તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝ સામે આગામી વનડે અને T20 સિરીઝ માટે રોહિત શર્મા ફિટ થઈ ગયો છે. તે આ બંને સિરીઝમાં ઈન્ડિયન ટીમનું નેતૃત્વ કરતો જોવા મળશે.
રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો
મીડિયા રિપોર્ટ્સના આધારે ઈન્જરી પછી રોહિત શર્માએ NCAમાં ફિટનેસ ટેસ્ટ આપ્યો હતો. જે હિટમેને પાસ કરી લીધો છે. તેવામાં રોહિત શર્મા હવે અમદાવાદમાં રમાનારી વનડે સિરીઝથી ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે આના માટે ટૂંક સમયમાં ટીમ જાહેર થશે, જેમાં મીડિયા રિપોર્ટ્સના આધારે ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીને તક મળશે નહીં.