IPL ૨૦૨૨ માટે ૮ ટીમોએ કુલ ૨૭ ખેલાડીઓને રિટેઈન કર્યા છે

Sports
Sports

મુંબઇ, આઇપીએલ ૨૦૨૨ માટે ૮ ટીમોએ કુલ ૨૭ ખેલાડીઓને રિટેન કર્યા છે. તેમાં ૮ વિદેશીઓનો પણ સમાવેશ થાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ,મુંબઈ ઈન્ડિયન્સ,કેકેઆર અને દિલ્હી કેપિટલ્સે ૪-૪ ખેલાડીઓ રિટેન કર્યા છે. આરસીબીએ ૩, પંજાબ કિંગ્સે ૨, સનરાઇઝર્સ હૈદરાબાદે ૩ અને રાજસ્થાન રોયલ્સે પણ ૩ ખેલાડીઓને ટીમમાં રાખ્યા છે. આ ખેલાડીઓ પર ૨૬૯.૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જાે કે, રિટેન થયા બાદ પણ ૨૭માંથી ૪ ખેલાડીઓની સેલરી ઘટી ગઇ છે. તેમાં સીએસકેનો કેપ્ટન એમએસ ધોની પણ સામેલ છે. ન્યૂઝીલેન્ડના કેન વિલિયમસનને સૌથી વધુ ૧૧ કરોડ રૂપિયાનો ફાયદો મળ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.