![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/ROHIT-SHARMA-IN-CRIJ.jpg)
લાકડાઉન બાદ પહેલીવાર મેદાન પર ઉતર્યો રોહિત શર્મા, શેર કર્યો અનુભવ
નવી દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમનો લિમિટેડ આૅવરનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા લોકડાઉન બાદ પહેલીવાર મેદાન પર ઉતર્યો છે. રોહિતે કોરોના વાયરસ મહામારીનાં કારણે ચાલી રહેલા લોકડાઉન બાદ પહેલીવાર આઉટડાર ટ્રેનિંગ કરી. રોહિતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કે, ‘પાર્કમાં પુનઃઆગમન કરવું સારું. કેટલીક ટ્રેનિંગ કરી, ઘણા લાંબા સમય બાદ ખુદને મહેસૂસ કર્યો. રોહિતે અંતિમવાર આંતરરા ક્રેકિટ મેચ ન્યૂઝીલેન્ડમાં ટી-૨૦ સીરીઝ દરમિયાન રમી હતી અને પછી હેમસ્ટ્રિંગમાં ઇજાનાં કારણ ટીમથી બહાર થયો હતો. આૅપનિંગ બેટ્સમેન રોહિતે હાલમાં જ આંતરરાષ્ય ક્રિકેટમાં ૧૩ વર્ષ પૂર્ણ કર્યા છે. તેને ૨૩ જૂન, ૨૦૦૭નાં આયરલેન્ડની વિરુદ્ધ બેલફાસ્ટમાં રમાયેલી વનડે મેચમાં પહેલીવાર પ્લેઇંગ ઇલેવનમાં શામેલ કર્યો હતો. રોહિતે કે, ‘મહાનત્તમ ૧૩ વર્ષ અને સફર ચાલી રહી છે. ક્્યારેય નહોતુ વિચાર્યું કે બોરીવલીનો આ છોકરો અહીં સુધી પહોંચશે. હું મારું સપનું જીવી રહ્યો છું.’ લાકડાઉન દરમિયાન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર ઘણો જ એÂક્ટવ થઇ ગયો હતો. તે પોતાની ટીમ અને વિદેશનાં ખેલાડીઓની સાથે ઇન્સ્ટાગ્રામ ચેટ પર નજર આવ્યો હતો.
Tags sports