![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/YUVI-AND-RAVI-SHASHTRI.jpg)
ટ્વીટથી અભિનંદન પાઠવવા મુદ્દે યુવરાજ અને રવિ શાસ્ત્રી આમને-સામને
નવી દિલ્હી,
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહએ રવિ શાસ્ત્રીને ટ્રાલ કર્યા હતા, હવે આ મામલે રવિ શાસ્ત્રીએ બે મહિના બાદ બદલો લઇ લીધો છે. થોડાક દિવસો પહેલા ભારતીય ટીમના કાચ રવિ શાસ્ત્રી ટીમ ઇન્ડયાને ૨૦૧૧ વર્લ્ડકપ જીતના અભિનંદન આપવા માટે સોશ્યલ મીડિયા પર આવ્યા હતા. ખેલાડીઓને અભિનંદન આપતી વખતે તેમને માત્ર વિરાટ કોહલી અને સચિન તેંદુલકરને ટેગ કર્યા હતા. યુવરાજ સિંહ ટ્વીટથી પ્રભાવિત ન હતો અને તેને રવિ શાસ્ત્રીને કે તે તેને અને ધોનીને પણ ટેગ કરી શકે છે. યુવરાજે પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનથી મેન ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો, જ્યારે ધોનીએ શ્રીલંકા વિરુદ્ધ ફાઇનલમાં ૯૧ રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર લખ્યું હતુ કે,
ખુબ ખુબ અભિનંદન મિત્રો, આને તમે જિંદગીભર યાદ કરશો અને આનો આનંદ લેશો. ઠીક એમ જ જેમ અમે ૧૯૮૩ના ગ્રુપ ઈંઉર્ઙ્મિઙ્ઘઝ્રેp૨૦૧૧ સાથે કરીએ છીએ. યુવરાજે ભારતના વર્તમાન કાચના ટ્વીટનો જવાબ આપવાની ઉતાવળ હતી, તેને લખ્યું- ધન્યવાદ વરિષ્ઠ, તમે મને અને માહીને ટેગ કરી શકો છો, અમે પણ તેનો ભાગ હતા. આવામાં ગુરુવારે ફરી એકવાર, યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રી ટ્વીટર પર એક બીજાની સામે આવી ગયા, અને આ વખતે રાલ બદલાઇ ગયા. આ યુવરાજ સિંહ જ હતો તેને ૧૯૮૩ના ભારતીય કપની ઐતિહાસિક જીતની ૩૭મી વર્ષગાંઠ પર ટીમ ઇન્ડયાને અભિનંદન આપવા માટે ટ્વીટરનો સહારો લીધો. જાકે ભારતના પૂર્વ બેટ્સમેનએ ૧૯૮૩ની ટીમના કોઇપણ ખેલાડીને ટેગ ના હતો કર્યો,
અને રવિ શાસ્ત્રીને આ વાતની જલ્દી હતી કે યુવરાજે ભારતના કેપ્ટન કપિલ દેવને પણ ટેગ ન હતો કર્યો. યુવરાજે ટ્વીટ કર્યુ હતુ કે- રાષ્ય ગૌરવનુ એક ક્ષણ, અમારા સીનિયર્સે આ દિવસે ૧૯૮૩ ક્રિકેટ વર્લ્ડકપને ઉઠાવ્યો. ૧૯૮૩ની ટીમના પ્રત્યેક સભ્યને અભિનંદન. તમે અમને આ જ હાંસલ કરવા માટે બેન્ચમાર્ક સેટ કર્યો હતો.. ભારતને તમામ રમતોમાં વર્લ્ડ ચેમ્પયન બનવાની આશા છે. જવાબમાં, રવિ શાસ્ત્રીએ યુવરાજને જબરદસ્ત જવાબ આપ્યો અને લખ્યું – ધન્યવાદ, જૂનિયર. તમે મને ટેગ કરી શકો છો અને કેપ્સ (કપિલ દેવ)ને પણ. યુવરાજે ત્યારે એ લખીને આ થ્રેડને સમાપ્ત કર્યો, હાહાહાહા વરિષ્ઠ, તમે મેદાન પર અને તેની બહાર એક લિજેન્ડ છો. કપિલ પાજી પુરેપુરા એક અલગ લીગ હતા.
Tags sports