દક્ષિણનો કુંભમેળો કુન્નુર પ્રયાગના કુંભમેળા જેવું જ માહાત્‍મ્‍ય

દક્ષિણનો કુંભમેળો કુન્નુર પ્રયાગના કુંભમેળા જેવું જ માહાત્‍મ્‍ય
૨૮ દિવસ ચાલનારા આ ફેસ્‍ટિવલને વૈશાખ મહોત્‍સવ તરીકે ઓળખવામાં આવે છે

કેરલાના કુન્નુર જિલ્લાના કોટ્ટિયુર ગામમાં હિન્‍દુ પૌરાણિક શાષા મુજબ દક્ષિણનો મહાકુંભ શરૂ થયો છે. ૨૮ દિવસ ચાલનારા આ ફેસ્‍ટિવલને વૈશાખ મહોત્‍સવ તરીકે ઓળખવામાં આવે છે. કોટ્ટિયુરને દક્ષિણનું વારાણસી ગણવામાં આવે છે, કેમ કે અહીં અનેક ધાર્મિક માહાત્‍મ્‍ય ધરાવતાં મંદિરો અને શિલાઓ છે. આ ફેસ્‍ટિવલ બાવલી નદીના કિનારે ઊજવવામાં આવે છે. પ્રયાગરાજના કુંભમેળાનું જેટલું ધાર્મિક માહાત્‍મ્‍ય છે એટલું જ દક્ષિણ ભારતના હિન્‍દુઓમાં કોટ્ટિયુર ફેસ્‍ટિવલનું છે. આ જગ્‍યાએ કોઈ કાયમી ધોરણે ઊભું કરેલું મંદિર નથી, પરંતુ અહીં પામનાં સૂકાં પાંદડાથી યજ્ઞભૂમિ તરીકે ઓળખાતું વિશિષ્ટ ઊર્જા ધરાવતું સ્‍ટ્રક્‍ચર તૈયાર કરવામાં આવે છે. એની ફરતે જાતજાતની વિધિ થાય છે.

એ ઉપરાંત અહીં બાવલી નદીના સામસામા બે કિનારે આવેલા અકારે કોટ્ટિયુર અને ઇક્કારે કોટ્ટિયુર એમ બે મંદિરોમાં ઉત્‍સવનો તામઝામ જોવા મળે છે. એવું મનાય છે કે આ શિવમંદિરમાં સ્‍વયંભૂ લિંગ છે. પૂરા ૨૮ દિવસ ચાલતા આ ઉત્‍સવમાં અનેક લોકો માનતા માને છે અને એક ખાસ વળક્ષની નીચે લિસ્‍સો ગોળાકાર પથ્‍થર મૂકે છે. નદીમાં નાહીને ભીના કપડે જ યજ્ઞભૂમિ તરીકે બનાવેલા સૂકાં પાંદડાંના કાચા દેવળમાં લોકો નારિયેળ અને ઘીનો ચડાવો ચડાવે છે અને એની ફરતે પ્રદક્ષિણા કરે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *