લાખોની રકમ ભરેલી દાનપેટી ઉઠાવી ગયાં…!
પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે વિશેષ ટીમ બનાવી તપાસ હાથ ધરી; પાટણ શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં મોડી રાત્રે ચોરીની ઘટના સામે આવી છે. અજાણ્યા તસ્કરો મંદિરની દાનપેટી ચોરી કરીને ફરાર થઈ ગયા છે. દાનપેટીમાં લાખો રૂપિયાનું દાન હોવાનું અનુમાન છે. આ બાબતે મળતી માહિતી મુજબ મંદિરના પૂજારી વહેલી સવારે મંદિરમાં આવ્યા ત્યારે દાનપેટી ગાયબ હોવાનું જોતા તેમણે તરત જ મંદિર પ્રશાસનને જાણ કરતાં તેઓએ તાત્કાલિક મંદિર પરિસર ખાતે આવી મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા ગત મોડી રાત્રે તસ્કરો મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા અને તેઓ દાનપેટી ઉઠાવીને લઈ જતા પણ સ્પષ્ટ પણે નજરે પડે છે. આ બાબતે પોલીસ ને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને પંચનામાની કાર્યવાહી કરી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મંદિર પ્રશાસને આ અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરતાં તુટેલી દાનપેટી તેમજ કેટલીક પરચુરણ મળી આવી હતી જોકે પોલીસે તસ્કરોને પકડવા માટે વિશેષ ટીમ બનાવી તપાસનાં ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

