વૈશ્વિક વ્યવસ્થામાં મંદી, દરેક ક્ષેત્રે પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે: એસ જયશંકર

વૈશ્વિક વ્યવસ્થામાં મંદી, દરેક ક્ષેત્રે પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે: એસ જયશંકર

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા પારસ્પરિક ટેરિફ વચ્ચે , વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરુવારે કહ્યું કે વિશ્વ સ્વ-સહાયના યુગ તરફ આગળ વધી રહ્યું છે અને દરેક ક્ષેત્રે પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે.

20મા BIMSTEC મંત્રી સ્તરીય કાર્યક્રમને સંબોધતા જયશંકરે જણાવ્યું હતું કે ટૂંકી પુરવઠા શૃંખલાઓ અને નજીકના પડોશીઓ પહેલા કરતાં વધુ લોકપ્રિય બન્યા છે.

વાસ્તવિકતા એ છે કે વિશ્વ સ્વ-સહાયના યુગ તરફ આગળ વધી રહ્યું છે. દરેક ક્ષેત્રે પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે, પછી ભલે તે ખોરાક, બળતણ અને ખાતર પુરવઠો હોય, રસીઓ હોય કે ઝડપી આપત્તિ પ્રતિભાવ હોય, તેવું મંત્રીએ કહ્યું હતું.

આપણે આપણી નજર સમક્ષ આ બધું જોઈ રહ્યા છીએ. સમય ખરેખર બદલાઈ ગયો છે. ટૂંકી સપ્લાય ચેઈન અને નજીકના પડોશીઓ પહેલા કરતાં વધુ સક્રિય છે, તેવું જયશંકરે કહ્યું હતું.

જયશંકર અહીં BIMSTEC (બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન) મંત્રી સ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠા BIMSTEC સમિટમાં દરિયાઇ સહકાર કરાર પર હસ્તાક્ષરનું નિરીક્ષણ કરવા માટે થાઇલેન્ડ, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, મ્યાનમાર અને ભૂટાનના નેતાઓ સાથે જોડાશે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *