સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વૃંદાવનના પ્રસિદ્ધ શ્રી બાંકે બિહારી મંદિર માટે પ્રસ્તાવિત ₹૫૦૦ કરોડના કોરિડોર વિકાસ યોજનાને આખરે મંજૂરીની મહોર મારી દીધી છે. સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને આ કોરિડોરના વિકાસ માટે મંદિરની આસપાસની લગભગ પાંચ એકર જમીન સંપાદિત કરવા માટે મંદિરના ભંડોળનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. આ નિર્ણયથી લાંબા સમયથી અટકેલી આ મહત્વકાંક્ષી યોજનાનો માર્ગ મોકળો થયો છે, જેનો ઉદ્દેશ્ય મંદિર પરિસર અને તેની આસપાસ ભક્તો માટે વધુ સારી સુવિધાઓ અને સુરક્ષા પ્રદાન કરવાનો છે. ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને ન્યાયાધીશ એસ.સી.શર્માની ડિવિઝન બેન્ચે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રજૂ કરાયેલી ₹૫૦૦ કરોડની વિકાસ યોજનાનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ અલ્હાબાદ હાઇકોર્ટના અગાઉના આદેશમાં સુધારો કર્યો હતો. હાઇકોર્ટે બાંકે બિહારી જી મંદિરની આસપાસ કોરિડોરના વિકાસ માટે જમીન ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકારને આ યોજનાને સંપૂર્ણપણે અમલમાં લાવવાની મંજૂરી આપવામાં આવે છે.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે બાંકે બિહારી જી ટ્રસ્ટ પાસે દેવતા અને મંદિરના નામે ફિક્સ ડિપોઝિટમાં નોંધપાત્ર રકમ જમા છે અને રાજ્ય સરકારને પ્રસ્તાવિત જમીનના સંપાદન માટે આ ભંડોળનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. જો કે, કોર્ટે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે મંદિર અને કોરિડોરના વિકાસ માટે સંપાદિત કરવામાં આવેલી તમામ જમીન કાયમી ધોરણે દેવતા અને ટ્રસ્ટના નામે જ રહેશે, જેથી મંદિરની સંપત્તિનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત થઈ શકે.શ્રી બાંકે બિહારી મંદિર કોરિડોર માટે રાજ્ય સરકારની આ વિકાસ યોજનાને સુપ્રીમ કોર્ટની મંજૂરી ખાસ કરીને ૨૦૨૨માં બાંકે બિહારી મંદિરમાં થયેલી દુઃખદ ભાગદોડની ઘટનાને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. આ ઘટનાએ બ્રજ ક્ષેત્રના અન્ય મંદિરોમાં પણ વ્યાપક ગેરવહીવટ તરફ ધ્યાન દોર્યું હતું અને અસરકારક મંદિર શાસન માત્ર એક કાનૂની આવશ્યકતા જ નથી, પરંતુ જાહેર અને આધ્યાત્મિક કલ્યાણ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે તે વાત પર ભાર મૂક્યો હતો. આ યોજનાથી ભક્તોની સુરક્ષામાં વધારો થશે અને ભીડ વ્યવસ્થાપનમાં સુધારો થશે તેવી અપેક્ષા છે.
ન્યા

