આઈપીએલ 2025 ના ક્વોલિફાયર-2 માં, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું, જ્યાં તેનો સામનો RCB સામે થશે. મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને મેચમાં 203 રન બનાવ્યા હતા, ત્યારબાદ શ્રેયસ ઐયરની અડધી સદીના કારણે પંજાબે સરળતાથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. તેમના સિવાય નેહલ વાઢેરાએ પણ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી.
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ, પંજાબ કિંગ્સ ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું. હવે તેમની કેપ્ટનશીપમાં ટીમ ફાઇનલમાં પહોંચી છે. અગાઉ, દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2020 ની ફાઇનલમાં અને કોલકાતા નાઈટ રાઇડર્સે આઈપીએલ 2024 માં ઐયરની કેપ્ટનશીપમાં પ્રવેશ કર્યો હતો. ઐયર આઈપીએલમાં ત્રણ અલગ અલગ ટીમોને ફાઇનલમાં પહોંચાડનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. તેમના પહેલાં કોઈ આ કરી શક્યું ન હતું.
ઘાતક બોલર જસપ્રીત બુમરાહની એક ઓવરમાં 20 રન બનાવ્યા. તેણે મેચમાં કુલ 38 રનનું યોગદાન આપ્યું. વાઢેરાએ 29 બોલમાં 48 રનની ઇનિંગ રમી. તેણે પંજાબની ટીમને લક્ષ્યની નજીક પહોંચાડી. શ્રેયસ ઐયર ક્રીઝના એક છેડે મજબૂત રહ્યો. તેણે 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઐયરે ૪૧ બોલમાં ૮૭ રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. મુંબઈના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા અને સારું પ્રદર્શન કરી શક્યા નહીં. ટીમ તરફથી અશ્વિની કુમારે સૌથી વધુ બે વિકેટ લીધી. પંજાબ કિંગ્સની ટીમે શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો