શેખ હસીનાના સમર્થકોએ મોહમ્મદ યુનુસ વિરુદ્ધ મોરચો ખોલ્યો, 4 લોકોના મોત, ટેન્ક રસ્તાઓ પર આવી ગયા

શેખ હસીનાના સમર્થકોએ મોહમ્મદ યુનુસ વિરુદ્ધ મોરચો ખોલ્યો, 4 લોકોના મોત, ટેન્ક રસ્તાઓ પર આવી ગયા

બાંગ્લાદેશમાં, શેખ હસીનાના સમર્થકોએ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સામે મોરચો ખોલ્યો છે. બાંગ્લાદેશના ગોપાલગંજમાં, યુનુસ સમર્થિત NCP અને શેખ હસીનાના આવામી લીગના વિદ્યાર્થી સંગઠનો વચ્ચે અથડામણ થઈ છે. આ વિરોધ પ્રદર્શનો અને અથડામણો દરમિયાન, 4 લોકો માર્યા ગયા છે જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. ગોપાલગંજમાં, યુનુસ સરકારે રસ્તાઓ પર ટેન્કો ઉતારી છે. હાલમાં, વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. વિવિધ સ્થળોએ અર્ધલશ્કરી સૈનિકો તૈનાત છે. મોહમ્મદ યુનુસે આ હિંસક અથડામણ માટે આવામી લીગની નિંદા કરી છે અને કહ્યું છે કે હિંસા કરનારાઓને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. બીજી તરફ, શેખ હસીનાની પાર્ટી આવામી લીગે યુનુસ સરકાર પર તેના કાર્યકરો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

બાંગ્લાદેશના ગોપાલગંજમાં શેખ હસીનાના સમર્થકો અને નેશનલ સિટીઝન્સ પાર્ટીના વિદ્યાર્થીઓ વચ્ચે અથડામણ થઈ છે. માહિતી સામે આવી છે કે શેખ હસીનાના પક્ષના સમર્થકોએ નેશનલ સિટીઝન્સ પાર્ટીની રેલી પર હુમલો કર્યો હતો. આ હુમલાનો આરોપ અવામી લીગના વિદ્યાર્થી એકમ – બાંગ્લાદેશ છાત્ર લીગ પર લગાવવામાં આવ્યો છે. અવામી લીગના કાર્યકરોએ હુમલો કર્યો. ત્યારબાદ અથડામણ શરૂ થઈ. શેખ હસીનાના સમર્થકોએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર સામે વિરોધ શરૂ કર્યો. પોલીસે જવાબમાં ગોળીબાર કર્યો, જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયાના અહેવાલ છે.

બાંગ્લાદેશના ગોપાલગંજમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા ત્રણ લોકોની ઓળખ દિપ્તો સાહા (25 વર્ષ), રમઝાન કાઝી (18 વર્ષ) અને સોહેલ મોલ્લા (41 વર્ષ) તરીકે થઈ છે. ગોપાલગંજ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે પુષ્ટિ આપી છે કે ઘાયલ થયેલા તમામ 9 લોકોને ગોળી વાગી છે. હાલમાં, ગોપાલગંજમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે… ગોપાલગંજમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના 200 સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે… પોલીસ હિંસક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *