પાલનપુરના મફતપુરામાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસ્યા: રોગચાળાની દહેશત

પાલનપુરના મફતપુરામાં ગટરના ગંદા પાણી ઘરોમાં ઘુસ્યા: રોગચાળાની દહેશત

પાલનપુર પાલિકાના શાસકો સોશિયલ મીડિયામાં વ્યસ્ત: પ્રજાજનો ત્રસ્ત; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના શાસકો નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવાને બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેતા હોઇ પ્રજાજનો ત્રસ્ત બન્યા હોવાની રાવ ઉઠી છે. શહેરના મફતપુરા વિસ્તારમાં કમોસમી માવઠા ઉપરાંત ગટરો ઉભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસતા રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. સામાન્ય કમોસી વરસાદમાં પણ પાલનપુર શહેરના મફતપુરા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી લોકોના ઘરમાં ઘૂસવા લાગ્યું છે. હજુ તો ચોમાસું ઘણું દૂર છે.

આ દ્રશ્યો જોઈને એ.સી ચેમ્બર બેસીને વહીવટ કરતા પાલિકા ચૂંટાયેલા સત્તાધીશો અહીં નર્કાગાર પરિસ્થિતિમાં રહેતા શ્રમિક લોકોના દર્દ ન સમજી શકતા લોકોએ ઉભરો ઠાલવ્યો હતો.શહેરના મફતપુરા વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં ગટરોની ચેમ્બરો ઊભરતા લોકોના ઘર આગળ ઢીંચણ સમાં ગંદુ પાણી ભરાઈ ગયું છે. અહીંથી પસાર થવા માટે લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. મચ્છરના ઉપદ્રવથી નાના બાળકો રોગચાળાનો ભોગ બને તેવી દહેશત સેવાઈ રહી છે. સ્થાનિક લોકો પાલિકાના પાપે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *