નીગલિરીના તેલના છે અનેક ફાયદા, તાવને દૂર કરવામાં પણ મદદરૂપ

સંજીવની
Eucalyptus oil benefits
સંજીવની

નીલગિરીનું ઝાડ અનેક રીતે ફાયદાકારક છે. તેનો મુખ્ય ઉપયોગ બ્લડ સુગર કન્ટ્રોલ કરવામાં અને શરદીને ઠીક કરવામાં થાય છે. આ સિવાય તે દુ:ખાવો ઓછો કરે છે. નીલગિરી દાંતને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. નીલગિરીનું તેલ આપણા વાળ, સ્કિન અને શરદી-તાવ જેવી સમસ્યાઓમાં પણ ઉત્તમ ફાયદાકારક છે. તેના તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો, એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો એન્ટિઓક્સિડન્ટ ગુણો હોય છે તેમજ તેને અંદર એવા પણ કેટલાક ગુણો હોય છે જે આપણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક થાય છે.

સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદરૂપ

નાના બાળકો તથા મોટા વ્યક્તિને શર્દી થતા તેના તેલના 1-2 ટીપા રૂમાલમાં નાંખી થોડી થોડી વારે સુગંધ લેવાથી નાક ખુલે છે અને શર્દી મટાડવામાં મદદરૂપ થાય છે. નીલગિરી તેના તેલની અંદર રહેલા ગુણો ડાયાબિટીસ અને તેના લક્ષણો દૂર કરવામાં મદદરૂપ થાય છે તે આપણા શરીરની અંદર રહેલી સુગર લેવલ નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

તાવમાં રાહત આપે છે

આપણા શરીરને રોગોથી બચાવી રાખવા જરૂરી ઇમ્યુન સિસ્ટમને આ નીલગિરીનું તેલ સારી કરવામાં મદદરૂપ થાય છે. નીલગિરીનું તેલ એ આપણને સ્ટ્રેસ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. જો તમે નીલગીરી ના તેલનો ઉપયોગ કરો છો તો તમને માનસિક શાંતિ મળે છે. જો તમને પણ દાંતના દુ:ખાવાની સમસ્યા હોય તો તમે નિલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો. જો કોઈ વ્યક્તિને સામાન્ય તાવ હોય તેવી સિચ્યુએશનમાં આ નિલગિરીનું તેલ શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

શરીરમાં દુ:ખાવો દૂર કરે છે

નીલગિરીનું તેલ એ એન્ટિસેપ્ટિક છે માટે જો તમે મોઢામાં થયેલા છાલા પર નીલગિરીનું તેલ લગાવો છો તો થોડી બળતરા થશે, પરંતુ તે તેના પર રહેલા બેક્ટેરિયા દૂર કરવામાં મદદરૂપ થશે જેથી આ છાલા મટવાની ક્રિયા ઝડપી થશે. નીલગિરીના તેલની અંદર રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો આપણા શરીરમાં થયેલા દુ:ખાવાને ઓછું કરવામાં મદદરૂપ થાય છે માટે જો તમે 3-4 ટીપા દુખતી જગ્યાએ મૂકી તેનું માલિશ કરો છો તો દુખાવામાં રાહત રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.