વાસ્તવિકતા તરફ વાળતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

આપણે બધા જાણીએ છીએ કે કુદરતની લીલા અપાર છે, કયારે કોનું શું થશે ?તે કહેવું મુશ્કેલ છે. ઘણાં માણસો રાતોરાત અમીર થઈ જાય છે તો કેટલાયને પાયમાલ થતા પણ આપણે જાઈએ છીએ જેના જીવનમાં સોનાનો સુરજ ઉગે છે તે જીવનને માણવાના સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં આગળ વધે છે અને જેમની પાસે હતું તે જતું રહેવાથી દુખના દરિયામાં ડુબી જાય છે. શું રૂપિયા અને શૌહરત જ ગુમાવવાથી માણસ દુઃખી થાય છે, ભાંગી પડે છે.‘ના’ જીવનમાં બીજી એવી અનેક બાબતો છે જે માણસને હતાશ, નિરાશ કરી શકે છે. જીવન જીવવાની જીજીવિશા ખલાસ કરી શકે છે. કુદરત એક હાથે લે છે તો બીજા હાથે દે છે એમ કહેવાય છે. કદાચ એટલે જ કુદરતે હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ જેવા મનોવિજ્ઞાન તરફ આપણને આગળ વધાર્યા છે જે આવી અનેક સમસ્યાનું નિરાકરણ (તેમાંથી મુકત) કરવા સક્ષમ છે.
એક સાંજે બે મિત્રો અમારા સેન્ટર પર આવ્યા. પોતાનો પરિચય આપતાં જણાવ્યું કે, હું મહાસુખભાઈ અને આ મારી ઓફિસના સૌથી સીનીયર એકટીવ અને મારા પરિવારના સભ્ય બની ગયેલા મનુભાઈ તેમના વિશે વાત કરતાં આગળ જણાવ્યું કે, છેલ્લા લગભગ ત્રીસેક વર્ષથી મનુભાઈ મારી સાથે છે.સ્વભાવે શાંત, મહેનતુ અને દરેક કામમાં હોંશિયાર સાથે સમયના પાક્કા, વીસેક વર્ષ પહેલાં તેમના સમાજની જ સંગીતા સાથે તેમના લગ્ન થયા. શરૂઆતના ત્રણ ચાર વર્ષ તો જાણે, ખુબ સારા ગયા તેવામાં સંગીતાને દિવસો રહ્યા ને તેમણે પુત્રરત્નને જન્મ આપ્યો. બાળકા

જન્મથી બંને ખુબ ખુશ હતા. બાળકના જન્મથી સંગીતા બીઝી થઈ ગયા.ઘરકામ અને બાળઉછેરમાં દિવસ નાનો પડતો કામ અને જવાબદારી વધતા સંગીતાનો સ્વભાવ બદલાવા લાગ્યો જેને લીધે પતિ-પત્નીના સંબંધો પર અસર પડવા લાગી. સંગીતા ગમે ત્યારે ગમે તે બોલી નાખે છતાં મનુભાઈ પરીસ્થતિ જાળવવાના પ્રયત્નો કરવા અને તેમની જવાબદારીઓ પુરી કરતા રહ્યા. સંગીતા બોલીને ભુલી જતી, તેના મનમાં કાંઈ ન રાખે પણ તે વગર વિચાર્યે બોલી નાખતી.મનુભાઈ કામમાં વધુ વ્યસ્ત રહેવા લાગ્યા. પત્ની અને દિકરા માટેની દરેક જવાબદારીઓ પુરી કરતા પણ માનસિક રીતે દુઃખી રહેતા.
આમને આમ મનુભાઈએ અનેક વર્ષો કાઢી નાખ્યા. કોઈને કોઈપણ વાતની ગંધ પણ ન આવવા દીધી. પણ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મનુભાઈના સ્વભાવમાં, તેમના કામકાજમાં ફરક પડવા લાગ્યો. હવે તેમનું ધ્યાન કામમાં ન લાગવું, બધા સાથેનો વ્યવહાર પણ જાણે યંત્રવત થઈ ગયો, ચહેરાનું નૂર ઓછું થતું ગયું એટલે ૩-૪ અલગ અલગ ડાકટર સાહેબોને બતાવ્યું. તેમની સુચના મુજબ દવાઓ લીધી, કામકાજના સમયમાં ફેરફાર કર્યો. તેમને બહારગામ ફરવા મોકલ્યા તેમની સાથે તેમની આવી પરિસ્થતિથી પરિવાર પણ ચિંતીત રહેવા લાગ્યો છે. હવે તેઓ ચુસ્ત રહે છે એટલે અમે તે દવાઓ આપવાનું પણ બંધ કરાવ્યું છે. એટલે અમે મહાસુખભાઈને સમજાવ્યું કે ડાકટર સાહેબની મંજુરી વગર કોઈપણ દવા કયારે ઓછી કે વધુ ન આપવી કે ન બંધ કરવી જાઈએ. માટે આ બાબત તમારા ડાકટર સાહેબ સાથે તુરંત વાત કરી યોગ્ય કરવું જાઈએ.મહાસુખભાઈ સાથેની વાત પુરી થતાં અમે મનુભાઈ સાથે વાત શરૂ કરતાં તેમણે જણાવ્યું કે, મારા અંગત જીવનની અસર મારા કામકાજ પર અને મારા જાહેર જીવન પર પડી છે. જાકે પહેલા જે પ્રોબ્લેમો હતા તે હવે નથી. મને ખબર નથી કે આમ કેમ થઈ રહ્યું છે તમે જ કારણ શોધી મને નોર્મલ જીવન તરફ વાળી શકો તેમ છો. તમારા જ્ઞાન વિજ્ઞાનની મદદથી હું બરાબર થઈ શકીશ ને ? હા ચોક્કસ, થોડા દિવસોની નિયમિત સારવાર લેશો તો ચોક્કસ સુધારાઓ અનુભવી શકશો.તમારી ગણત્રી કરવા ઓછા સમયમાં નોર્મલ લાઈફ તરફ પાછા ફરી શકશો.
અમો જે સારવાર કરીએ છીએ તેને હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ કહેવામાં આવે છે. આ સમય દરમ્યાન તમારે બેડ પર આંખો બંધ રાખી સુવાનું અને અમારા તરફથી એટલે કે, હું ડા.કૌશલ કે ડા.જલપા જે કોઈપણ તમારી ટ્રીટમેન્ટ કરતા હોય તેમની સુચનાઓનો તમારે થાય તેટલો અમલ કરવાનો, પ્રયત્ન કરવાનો આ ટ્રીટમેન્ટે અમે સીટીંગ કહીએ છીએ અને આ દવા રહીત સારવાર પદ્ધતિ છે. અમારી વાત સાંભળી મનુભાઈનો ચહેરો જાણે ખીલી ઉઠયો અને સીટીંગ માટેનો સમય પુછયો.. બે દિવસ પછીનો સાંજનો સમય નક્કી કરાયો.
નક્કી કરેલા સમય મુજબ મનુભાઈ સમયસર આવ્યા, પેપર ફોર્માીટી કરી તેમની સીટીંગ શરૂ કરી. પહેલા દિવસથી મનુભાઈએ સારો સહકાર આપવાનું શરૂ કર્યું. પહેલા દિવસથી જ મનુભાઈને સીટીંગમાં રસ પડયો.કેમ કે સીટીંગ પુરી થતાં જ તેમને હળવાશ અનુભવી પાંચ સીટીંગ પુરી થતાં સુધીમાં મનુભાઈના ચહેરાનું નુર પાછું ફરવા લાગ્યું. સીટીંગ આગળ વધતાં મનુભાઈની આ

મનોદશા પાછળનું મુખ્ય કારણ શોધતાં જાણવા મળ્યું મનુભાઈના વધુ પડતા લાગણીશીલ સ્વભાવને લીધે તેમની પત્ની તરફથી બોલાયેલ શબ્દો તેમના મનમાં પેસી ગયા.આ દરેક શબ્દોને તે સતત વાગોળ્યા કરતા અને દુઃખી થતા રહેતા. તેમના આ સ્વભાવને સુચનાઓ દ્વારા ધીરે ધીરે સુધારતા ગયા એટલે કે તેમને પ્રેકટીકલ કરતા ગયા. જેથી જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે.કોઈપણ એક વાતને પકડીને બેસવાને બદલે તે વાતને લેટ ગો કરી ભુલી બાકીના કામ ધ્યાનપૂર્વક સારી રીતે કરી શકે. આ અંગેની સુચનાઓ થકી તેમના સ્વભાવમાં અને વ્યવહારમાં દેખીતા ચેન્જીશના આવતા મહાસુખભાઈ અને મનુભાઈના વાઈફ સંગીતાબેને જાણે આરામનો શ્વાસ લીધો.જેમ જેમ સીટીંગ આગળ વધતી ગઈ તેમ તેમ તે વધુ નિખાલસ થતા ગયા અને દરેક બાબતો મનમાં ભરી રાખવાને બદલે તે બાબત વાત કરી ખુલાસો મેળવતા ગયા. આમ થતા થોડા જ દિવસોમાં મનુભાઈનું લગ્નજીવન ફરીથી ખીલી ઉઠયું અને તેમના કામકાજમાં પણ સારી રીતે આગળ વધવા લાગ્યા. જાણે કાંઈ બન્યું જ નથી સાથે સાથે મનુભાઈ હિપ્નોથેરાપીનો અને અમારી પાસેથી મેળવેલી વિગતોને લીધે સેલ્ફ હિપ્નોટીઝમ શીખવા તથા મનોરંજક કાર્યક્રમો યોજવામાં પણ લોકોને મદદરૂપ થવા લાગ્યા.
હીપ્નોટીઝમ અંગેની કોઈપણ પ્રકારની જાણકારી માટે કે ઉપરોકત કોપણ આયોજન માટે આપ અમારોસંપર્ક કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.