![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-19.jpg)
હિંમતનગરના યશવી બંગ્લોઝમાં તસ્કરો ત્રાટક્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણા રોડ પર આવેલા યશવી બંગ્લોઝમાં બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી રૂ.65 હજારની મત્તાની ચોરી કરી હતી. હિંમતનગરના એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરમાં શનિવારે અને રવિવારે એક જ તસ્કર ટોળકીએ હાજીપુર ગામથી શરૂ કરીને સહકારી જીન અને બેરણા રોડ પર અંદાજે છ થી વધુ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના નકુચા તોડી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
મકાન બંધ કરીને ગયેલા પરિવારોને ઘરે આવે ત્યારે અથવા પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવે ત્યારે ચોરી અંગેની જાણ થાય છે. જાણ થતા જ પોલીસમાં ફરિયાદ નોધાવી છે. ત્યારે એ ડિવિઝન પોલીસને ચેલેન્જ આપતી તસ્કર ટોળકીએ વધુ હિંમતનગરના બેરણા રોડ પર આવેલા યશવી બંગ્લોઝ 26 નંબરમાં ભાડે રહેતા કુંજ પ્રજાપતિ મકાન બંધ કરીને વતન કડીયાદરા પરિવાર સાથે ગયા હતા. દરમિયાન તસ્કરોએ બંધ મકાનને રવિવારે વહેલી સવારે નિશાન બનાવ્યું હતું.જેમાં બંધ મકાનના મુખ્ય દરવાજાની જાળીનો નકૂચો તોડ્યા બાદ દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરીને તિજોરી અને કબાટ તોડી અંદર પાકીટમાંથી સોનાની વીંટી એક અને સોનાના જુમ્મર મળી એક તોલાના રૂ.60,૦૦૦ અને 5 હજાર રોકડ મળી 65,૦૦૦ હજારની મત્તાની ચોરી થઇ હતી. જે અંગે પાડોશીઓએ કુંજ પ્રજાપતિના પરિવારજનોને ફોન કરીને જાણ કર્યા બાદ સોમવારે કુંજ પ્રજાપતિ ઘરે આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસને ચોરી અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સોમવારે સાંજે કુંજ પ્રજાપતિના નિવેદન આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. તો FSL અને ડોગસ્કોર્ડની મદદથી તપાસ હાથ ધરી છે.