![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/હિંમતનગરમાં-30.jpg)
હિંમતનગરમાં ન્યાય મંદિર પાસે ખાનગી વાહનો અને લારીઓના અડીંગાથી ટ્રાફિકજામ
હિંમતનગર ઈડર સ્ટેટ હાઇવે પર દિવસ ભરમાં હજારો વાહનો અવરજવર રહે છે. શહેરમાંથી પસાર થતાં વાહનોને લઈ ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા સર્જાતી હોય છે ત્યારે ગુરુવારે ન્યાય મંદિર પાસે આડેધડ થતાં પાર્કિંગ અને લારી ગલ્લાંઓના દબાણને કારણે ભારે ટ્રાફિક સર્જાયો હતો. એક ટ્રેલર ઘૂસી આવતા બંને તરફના માર્ગ પર વાહનોની લાંબી કતાર લાગી હતી. જેને લઇ અફરાતફરી મચી ગઈ હતી અને 20 મિનિટ સુધી લોકો ટ્રાફિકમાં અટવાયા હતા.
શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ટ્રક ઘૂસી આવે છે ત્યારે ટ્રાફિકના સંચાલનમાં રહેતા પોલીસના જવાનો દંડ વસૂલવામાં વ્યસ્ત રહેતા હોવાને કારણે અરાજકતાનો માહોલ સર્જાય છે જેથી ટ્રાફિક અંગે યોગ્ય સંચાલન કરવામાં આવે તેવી શહેરીજનોમાં લાગણી પ્રવર્તી છે.
Tags Aravalli sabarkantha