રિક્ષા ભંગારીને વેચી માર્યાની ફરિયાદ નોંધાયા બાદ રિક્ષા તૂટેલી હાલતમાં મળી આવી

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજના કતપુર ટોલનાકા નજીક પડેલ રિક્ષા જેની નોંધ પ્રાંતિજ પોલીસે કરી હતી. તે રિક્ષા ટોલનાકા પરના મેનેજર અને કર્મચારીએ ભંગારમાં વેચી દીધી હોવા અંગે તા. 24-12-22 ના રોજ અજય કાપડિયા નામના વ્યક્તિએ નામજોગ અરજી કર્યાની ખબર પડતાની સાથે રાતોરાત તૂટેલી કાપેલી હાલતમાં રિક્ષાનો ભંગાર જે તે સ્થિતિમાં આવી જતાં અચરજ ફેલાવા પામ્યું હતું.

પ્રાંતિજના રસુલપુરના અજય કાપડિયા નામના શખ્સે જિલ્લા પોલીસવડાને તા. 24-12-22 ના રોજ લેખિત અરજી કરી હતી કે કતપુર ટોલનાકા પર ઘણા દિવસથી અઘટિત ઘટનાઓ થઈ રહી છે કતપુર ટોલનાકાના મેનેજર અશોક ચૌધરી અને ટોલનાકા પર ફરજ બજાવતા ઝાલા પરેશ જસવંતસિંહ બંનેએ પોલીસ રેકોર્ડ પર ચડેલ રિક્ષા ને છેલ્લા એક સપ્તાહની અંદર બારોબાર મોટી રકમ મેળવી વેચાણ કરી દીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.