હિંમતનગરની કમાન્ડ કંટ્રોલરૂમ દ્વારા 80 લોકોની ખોવાયેલ ચીજવસ્તુઓ પરત કરાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં આવેલા જીલ્લા પોલીસ વડા કચેરીમાં નેત્રમ શાખા આવેલી છે. જ્યાંથી હિંમતનગર શહેર અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી થકી નજર રાખવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં કમાન્ડ કંટ્રોલરૂમની મદદથી અંદાજીત 80થી વધુ લોકોની ગુમ થયેલી ચીજવસ્તુઓ શોધવામાં મદદ રૂપ થઇ છે. અને નેત્રમ શાખા દ્વારા તે ચીજસ્તુઓ તેમના માલિકોને પરત આપવામાં આવી છે. તેવું કમાન્ડ કંટ્રોલ શાખાના PSI આર.કે. રાવતે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. વર્ષ 2019થી નેત્રમ શાખા શરુ કરવામાં આવી હતી. અને અત્યાર સુધીમાં હિમતનગર શહેરમાં 80 લોકો માટે કમાન્ડ કંટ્રોલરૂમ મદદરૂપ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.