હાથમતી જળાશયમાંથી અ, બ અને ક ઝોનમાં ચોથું પાણ શરુ કરાયું

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે, હિંમતનગરના હાથમતી જળાશયમાંથી પાંચ પાણ આપવાના આયોજન સામે અ, બ અને ક ત્રણ પાણ પૂર્ણ કરી દેવાયા છે. તો અ-ઝોનમાંથી ૨જી ફેબ્રુઆરીથી અને બ, ક ઝોનમાં 6 ફેબ્રુઆરીથી ચોથું પાણ શરુ કરી દેવાયું છે.

તો અ ઝોનમાં સિંચાઈના પાણીથી હિંમતનગર તાલુકાના 25માં 1500 હેકટરમાં લાભ થાય છે. તો બ અને ક ઝોનમાં પ્રાંતિજ, ગાંધીનગર અને દહેગામ તાલુકાના 40 ગામોમાં 3000 હેકટરમાં સિંચાઈનો લાભ થાય છે. ધરોઈ ડાબા કાંઠા કેનાલમાં ચોથું પાણ ચાલે છે. જે ત્રણ દિવસમાં પુરું થશે. ત્યારબાદ પાચ પાણ ઉપરાંત વધુ એક પાણ અપાશે. તો આ પાણીથી હિંમતનગરના 55 ગામોમાં 3500 હેકટરમાં સિંચાઈનો લાભ થાય છે.

આ અંગે ગુહાઈ નહેર પેટા વિભાગ નં 5ના અધિક મદદનીશ ઈજનેર જતીન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગુહાઈ જળાશયમાંથી ત્રણ પાણ પૂર્ણ કરી દેવાયા છે અને હાલમાં ચોથું પાણી ચાલી રહ્યું છે, જે ચાર દિવસ બાદ પૂર્ણ થશે. ત્યારબાદ અંતિમ પાંચમું પાણ આપવામાં આવશે. 1 ફેબ્રુઆરી ચોથું પાણ શરુ કરવામાં આવ્યું હતું અને 16 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે. આ પાણીથી હિંમતનગર તાલુકાના 32 ગામોમાં 3500 હેકટરમાં સિંચાઈનો લાભ મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.