હિંમતનગરમાંથી બે દિવસ બાદ પાંજરું હટાવ્યું

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરમાં બે દિવસ પહેલા દીપડો દેખાયાની વાતને લઈને વન વિભાગે પાંજરું મુક્યું હતું. ઉપરાંત કેમેરા પણ લગાવ્યા હતા.પરંતુ પરિણામ નહીં મળતા વન વિભાગે આજે પાંજરું હટાવી લીધું છે અને વામોજના ગ્રામજનોની માંગણીને લઈને વામોજમાં જંગલ વિસ્તારમાં પાંજરું મુકવામાં આવ્યું છે.સાબરકાંઠા જીલ્લાના ત્રણ દિવસ પહેલા હિમતનગર તાલુકાના વામોજમાં દીપડાએ સાત બકરાનું મારણ કર્યા બાદ આજે બપોરે હિમતનગર શહેરના ચાંદનગર વિસ્તારમાં આવેલ ચાંદ શહીદ બાવાની દરગાહ પાસે કબ્રસ્તાન વિસ્તારમાં જંગલ વિસ્તારમાં સ્થાનિકોએ દીપડો દેખાયાની જાણ વન વિભાગને કરી હતી. જેને લઈને વન વિભાગના બે દિવસ પહેલા જ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યારબાદ વન વિભાગે જંગલી પ્રાણીને પાંજરે પુરવા માટે રાત્રે મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું.પરંતુ સવારે કોઈ પરિણામ મળ્યું ન હતું. સતત બીજા દિવસે પાંજરું મૂકી રાખવામાં આવ્યું હતું અને બે કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ બીજા દિવસે પણ કેમેરામાં કઈ જોવા ન મળ્યું અને પાંજરે પણ કાંઈ જોવા મળ્યું ન હતું. આમ બે દિવસ દરમિયાન કોઈ પરિણામ નહિં મળતા શનિવારે સવારે પાંજરું હટાવી લીધું હતું. હિંમતનગરમાં ચાંદનગર વિસ્તારમાં દરગાહ પાસેના કબ્રસ્તાનમાં બે દિવસ પહેલા મુકેલ પાંજરું બે દિવસ બાદ પાંજરું આજે હટાવી લીધું છે. અને વામોજમાં ત્રણ દિવસ પહેલા દીપડાએ સાત બકરાનું મારણ કર્યા બાદ સરપંચ સહિત ગ્રામજનોની માંગને લઈને શનિવારે બપોર બાદ વામોજમાં જંગલ વિસ્તારમાં મારણ સાથે પાંજરું મુકવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.