![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/સ્વચ્છતા-અભિયાનનું-સુરસુરિયુ.jpg)
સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયુ : હિંમતનગરના રેલવે સ્ટેશન પર પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી
દેશભરમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાહેર સ્થળો પર સ્થાનિક નેતાઓ પણ સ્વચ્છતા અભિયાન કરીને સૌને જોડ્યા હતા અને સ્વચ્છતા રહે તેને લઈને સૌને અપીલ કરી હતી, પરંતુ આ સ્વચ્છતા અભિયાનનું સુરસુરિયુ થઈ ગયું છે. હિંમતનગરના રેલવે સ્ટેશન પર પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે.
હિંમતનગરના રેલવે સ્ટેશન પર ટ્રેનો ચાલી રહી છે. જેને લઈને રોજબરોજ મુસાફરોની સંખ્યામાં વધારો થાય છે. ત્યારે સ્ટેશન પ્લેટફોર્મ પર ઠેર-ઠેર કચરા માટે ડસ્ટ બિન અલગ અલગ ત્રણ પ્રકારના લગાવ્યા છે.જેને લઈને મુસાફરો કચરો કચરા પેટીમાં નાખી શકે પરંતુ અહીંયા તો પ્લેટફોર્મ માં સ્વચ્છતા નો અભાવ જોવા મળે છે. તો સાથે કચરા પેટી પણ કચરાથી ઉભરાયેલી જોવા મળે છે. ત્યારે અહીંયા સ્વચ્છતા અભિયાન સુરસુરીયું જોવા મળે છે. ત્યારે રેલવે વિભાગ દ્વારા પણ આ માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જેથી સફાઈ કર્મીઓ રોજ સફાઈ કામ કરે જેથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું સ્વચ્છતા અભિયાન સાર્થક થઈ શકે છે.
હાલમાં પ્લેટફોર્મ પર પંખા બદલવામાં આવી રહ્યા છે. તો સાથે ટ્યુબ લાઈટ પણ બદલવામાં આવી રહી છે. ત્યારે ટ્યુબ સાથે તેનું કવર સાથે જ આખી ટ્યુબ લાઈટ બદલવામાં આવે તો પ્રકાશ પ્લેટફોર્મ પર રાત્રે જોવા મળી શકે. જો ખાલી ટ્યુબ બદલવાથી બંધ લાઈટ ચાલુ જોવા મળે છે, પરંતુ તે પ્લેટફોર્મ પર જોઈએ તેટલો પ્રકાશ આપતી નથી. જેને લઈને કામગીરી જોવા મળે છે, પરંતુ અસરકારક કામગીરી નથી જોવા મળતી. જેથી રેલવે વિભાગ દ્વારા હિંમતનગરથી અસારવા સુધીના રેલવે સ્ટેશનના પ્લેટ ફોર પર લગાવેલ ટ્યુબ લાઈટના કવર જે પીળા થઈ ગયા છે. તેને દૂર કરવા જરૂરી લાગી રહ્યા છે.
Tags mahesana patan sabarkantha ગુજરાત