કોંગ્રેસી અગ્રણીઓ સહિત સામાજિક અગ્રણીઓને ભાજપનો ખેસ પહેરાવાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

ભાજપના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાથી પ્રાથમિક સભ્ય મહાકુંભ, દિવ્યાંગ સન્માન સમારોહ, કાર્યકર્તા સંમેલન જેવા ત્રિવિધ કાર્યક્રમોમાં કોંગ્રી અગ્રણીઓ સહિત સામાજીક અગ્રણીઓને પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપનો ખેસ પહેરાવવાનું આયોજન કરાયુ છે. ભાજપ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 6 એપ્રિલ ભાજપના સ્થાપના દિને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બે દિવસની મુલાકાતે હિંમતનગર આવી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ નારાયણસિંહ રાઠોડ તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના પૂર્વ અને ચાલુ હોદ્દેદારોને લઇને ભાજપમાં જોડાઇ રહ્યા છે. 5 મી એપ્રિલે સાંજે મોદી ગ્રાઉન્ડમાં પ્રાથમિક સભ્ય મહાકુંભના કાર્યક્રમમાં 2360 સક્રિય સભ્યોને જિલ્લા પ્રભારી કુબેરભાઇ ડીંડોર, સંગઠન પ્રભારી ભરતભાઇ આર્ય, રેખાબેન ચૌધરી વગેરેની ઉપસ્થિતિમાં કાર્ડ વિતરણ કરાનાર છે. જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી. પટેલે જણાવ્યુ કે પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં 6 એપ્રિલે કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 10:30 કલાકે દિવ્યાંગોના સન્માનનો કાર્યક્રમ યોજાયા બાદ ટાઉનહોલમાં કાર્યકર્તા સંમેલન યોજાશે. વીર પ્રતાપ ફાઉન્ડેશનના સંસ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત સૌથી વધુ વોલેન્ટીયર સાથે ભાજપમાં જોડાઇ રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.