પ્રાંતિજ સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આવેલ સ્વામીનારાયણ મંદિર ખાતે 307 વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરા આજે પણ યથાવત છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

પ્રાંતિજ મુખ્ય બજારમાં આવેલા શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે મંદિરના સભાખંડમાં સંતોના આશીર્વાદ કાર્યક્રમ યોજાયો હતો. સ્વામીનારાયણ સંપ્રદાયના વિવિધ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તો ગુરૂ.શા.સ્વામી પ્રાણ જીવનદાસજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. જ્યારે આજથી 307 વર્ષ પહેલાં લોયા ગામમાં ભગવાન સ્વામીનારાયણ દ્વારા 60 મણ રીંગણા અને 12 મણ ધીથી શરૂઆત કરવામાં આવેલી પ્રથા આજે પણ યથાવત છે.

પ્રાંતિજ સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ધર્મપ્રેમી મહિલાઓ દ્વારા ઇંટોના ચુલા બનાવી બાજરીના રોટલા બનાવ્યા હતા. શાક, ખીચડી અને છાશનો ભોજન સ્વરૂપે પ્રસાદ લઇ હજારો હરિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરના પ્રમુખ લાલુભાઇ પંડ્યા તથા મંદિર વ્યવસ્થાપક કમિટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.