હિંમતનગર એસટી ડેપોમાં મુસાફરોએ હલ્લાબોલ કર્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના અંબાજીથી મુલુંડ જતી એસટી બસ યાંત્રિક ખામીને કારણે હિંમતનગર એસટી ડેપોમાં ખોટકાઈ હતી. જેને લઈને મુસાફરો હલ્લાબોલ કરતા બી ડિવિઝન એસટી ડેપોમાં પહોંચી હતી. તો એસટી ડેપો દ્વારા બીજી બસમાં મુસાફરોને મોકલવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે, સોમવારે સાંજે અંબાજીથી મુલુંડ જતી એસટી બસમાં અમદાવાદ, બરોડા, સુરત અને મુલુંડ જતા મુસાફરોથી બસ આખી ભરેલી હતી તો હિંમતનગર એસટી ડેપોમાં પહોંચી હતી. જ્યાં બસમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. જેને લઈને એસટી બસ રોકી દેવામાં આવી હતી.

બસમાં બેસેલા મુસાફરો પરેશાન થયા હતા. કેટલાક મુસાફરો તો બસમાંથી ઉતરીને અમદાવાદ રવાના થયા હતા. તો બાકીના મુસાફરો એસટી બસમાં રીપેરીંગની રાહ જોઈ રહ્યા હતા. તો મોડી સાંજ સુધી એસટી બસ રીપેરીંગ થઇ ન હતી. જેને લઈને પરેશાન મુસાફરોએ આખરે એસટી ડેપોમાં કંટ્રોલ પોઈન્ટ પર હલ્લાબોલ કર્યો હતો અને કંટ્રોલ પોઈન્ટ આગળ મુસાફરો બેસી ગયા હતા.

બીજી તરફ મુસાફરોએ હલ્લાબોલ કરતા બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ પણ એસટી ડેપો પર આવી પહોંચી હતી અને મામલો થાળે પાડવા દરમિયાન ગીરી કરી હતી. ત્યારે આખરે બે કલાક બાદ બીજી બસની મુસાફરો માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને 40 જેટલા મુસાફરોને બીજી બસમાં રવાના કરવામાં આવ્યા હતા.

આ અંગે હિંમતનગર એસટી ડેપોના મેનેજર ચેતન પટેલે જણાવ્યું હતું કે, ખેડબ્રહ્મા-મુલુંડ એસટી બસમાં વયારીંગમાં ખામી સર્જાઈ હતી જેને લઈને એસટી બસ રોકીને બીજી બસમાં મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.