મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા આકસ્મિક ઘટના સમયે કઈ રીતે કામ કરે છે તે બાબતની તાલીમ યોજાઈ

સાબરકાંઠા
સાબરકાંઠા

કોઈપણ આકસ્મિક ઘટના હોય એ વખતે આવી પડેલ સંકટ દૂર કરવા માટે ફાયર વિભાગ સચોટ કામગીરી કરતું હોય છે ત્યારે, આવા સંકટ સમયે કઈ રીતે ઘટના નિવારી શકાય એ બાબતે મોડાસા પાલિકા ફાયર વિભાગ દ્વારા જિલ્લા પોલીસવડાની હાજરીમાં બેઝિક તાલીમ અપાઈ હતી.

અરવલ્લી જિલ્લા પોલિસવડાની કચેરીએ કોઈપણ આકસ્મિક ઘટના કે દુર્ઘટના સમયે ફાયર વિભાગ કઈ રીતે કામ કરે છે અને કઇ રીતે આવેલું સંકટ દૂર કરાય એ બાબતની જાણકારી માટે મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ફાયરના કર્મચારીઓ દ્વારા વોટર બાઉઝર વડે આગ અકસ્માતની ઘટનામાં પાણીનો છંટકાવ કરવો. અન્ય ફાયરના સાધનોની પણ પોલીસ તંત્રને સમજ આપી હતી.

ગેસ સિલિન્ડર લીક થાય અને જો આગ લાગે તો પણ કયો પ્રાથમિક ઉપચાર કરવો અને આગને બુઝાવવી વગેરે બાબતે જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ આપી હતી. આ સફળ કાર્યક્રમ મોડાસા પાલિકા ફાયર અધિકરી હેમરાજસિંહ વાઘેલાની આગેવાનીમાં યોજાયો હતો. કાર્યક્રમ બાદ જિલ્લા પોલીસવડા શેફાલી બરવાલે એ ફાયર અધિકારી અને સહ સ્ટાફ મિત્રોને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.