પ્રાંતિજમાં કૃષ્ણ મહિલા મંડળે ધનુર્માસમાં શ્વાનો અને ગયો માટે લાડુ બનાવ્યા

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નાની ભાગોળમાં શ્વાન અને ગાયને લાડુનું વિતરણ કરાયું; કૃષ્ણ મહિલા મંડળની મહિલાઓએ પવિત્ર ધનુર્માસને લઈને લોકફાળા અને દાતાઓ થકી 150 કિલોના લાડુ બનાવ્યા હતા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં કૃષ્ણ મહિલા મંડળની 50થી વધુ મહિલાઓએ 150 કિલોના લાડુ બનાવ્યા હતા. જાતે લોકફાળો અને દાતાઓ દ્વારા મળેલા દાન થકી આ પ્રયાસ મહિલાઓએ કર્યો હતો. શ્વાનો અને ગાય માટે લાડુ બનાવીને તેનુ ધનુર્માસમાં પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં વિતરણ કર્યુ હતુ. ધનુર્માસ હિન્દુ સંસ્કૃતિ માટે પવિત્ર અને પાવન માસ ગણાય છે. આ મહિનામાં લોકો દાન-પૂણ્ય અને પશુસેવા કરીને પૂણ્યનું ભાથુ બાંધે છે.

નાની ભાગોળ વિસ્તારમાં વર્ષોથી પોશ મહિનામાં દર વર્ષે ઉતરાણય પૂર્વે મહિલા મંડળની બહેનો એકત્રિત થઈને સ્વયંમ શ્વાનો અને ગાય માટે લાડુ બનાવે છે અને નગરના વિવિધ વિસ્તારોમાં તેનુ વિતરણ કરે છે. તેમા નગરના પશુપ્રેમી અને ધર્મપ્રિય લોકો સહયોગ આપે છે. ધનુર્માસમાં કરેલા દાન-પૂણ્ય મનુષ્ય જિંદગીમાં સુખ સમૃધ્ધિ અને તંદુરસ્તી બક્ષે છે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. આ સદકાર્યથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે છે. તેવુ કૃષ્ણ મહિલા મંડળની મહિલાએ જણાવ્યું હતુ.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.