ઇકોની ટક્કરે જૈન સાધ્વી અને શ્રાવિકાનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

ઇડર વડાલી રોડ પર જેતપુર નજીક સોમવારે રાત્રે નવેક વાગ્યે વિહારમાં નીકળેલ 27 વર્ષીય જૈન સાધ્વી અને શ્રાવિકાને પાછળથી ટક્કર મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતા બંનેના મોત થતાં ચકચાર મચી હતી. અકસ્માત કરી ઇકોનો ચાલક ફરાર થઇ ગયો હતો.

તા.09-05-22 ના રોજ સવારે ઇડરમાં નવીન ઉપાશ્રયનો શિલાન્યાસ હોઇ ઈડર પાવાપુરી જૈન મંદિરથી જૈન આચાર્ય રીમકારેશ્વર મહારાજ, અન્ય એક સાધુ મહારાજ અને વિશુદ્ધિ મહારાજ અરવલ્લી સોસાયટીમાં આવ્યા હતા અને નવીન ઉપાશ્રયનો શિલાન્યાસ કરી સાંજે સાડા છ એક વાગ્યાના સુમારે વિહાર કરી વડાલીના વટપલ્લી જૈનતીર્થમાં પગપાળા જવા નીકળ્યા હતા તેમની સાથે સૂચિતકુમાર શાહ કાર લઈને નીકળ્યા હતા.

ગાડીની આગળ એક મહારાજ અને પાછળ સાધ્વી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ, બે શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશી અને બીજા એક શ્રાવિકા અને અન્ય એક સાધ્વીજી મહારાજ પગપાળા જઈ રહ્યા હતા. રાત્રે નવેક વાગ્યાના સુમારે વડાલી નજીક જેતપુર બસ સ્ટેન્ડથી થોડે આગળ ઇડર બાજુથી આવી રહેલ ઈકોના ચાલકે સાધ્વી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ (27) અને શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશી (20) ને ટક્કર મારી રોડ પર ઘસેડતા બંનેને માથામાં અને શરીરે જીવલેણ ઈજાઓ થઈ હતી.

સુચિતકુમાર બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ ગયા હતા.પરંતુ તબીબે મૃત જાહેર કર્યા હતા. જૈન સાધ્વીજી અને શ્રાવિકાના મોત નિપજવાની ઘટનાને પગલે જૈન સમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. વડાલી નજીક હીટ એન્ડ રન કેસમાં વધુ એક જૈન સાધ્વીજી મહારાજ અને શ્રાવિકાનું મોત થતાં બેફામ વાહન હંકારતા ચાલકો વિરુદ્ધ કડક કાયદો લાવવાની માંગ પેદા થઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.