ઓવરહેડ ટાંકીને 13 સેકન્ડમાં જ જમીનદોસ્ત કરાઈ 50 વર્ષે જર્જરિત થતા તેને દૂર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના ટાવર ચોકમાં આવેલ પીવાના પાણી માટેની ટાંકી 50 વર્ષે જર્જરિત થતા તેને દૂર કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઓવરહેડ ટાંકીને 13 સેકન્ડમાં જ જમીનદોસ્ત કરાઈ હતી. જોકે આ કાર્યવાહીને લઈને પાલિકા ફાયર, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પોલીસ સ્ટાફ સવારથી ખડેપગે હાજર રહ્યો હતો.

2019-20ના રાજ્ય સરકારના આદેશને લઈને જર્જરિત પાણીની ટાંકીઓને ઉતારી લેવાની સૂચનાને લઈને સ્ટ્રક્ચર એન્જીનીયર દ્વારા તપાસ બાદ રીપોર્ટને લઈને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ટાવર ચોકની 9 લાખ લીટરની 18 મીટર ઉંચી ઓવરહેડ પાણીની ટાંકી ઈ.સ 1973માં બની હતી. જેને 50 વર્ષ પૂર્ણ થવાને લઈને આ પાણીની ટાંકી જર્જરિત થઇ ગઈ હતી. જેથી છેલ્લા ત્રણ મહિનાથી પાણી ભરવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી અને 4.29 લાખના ખર્ચે એજન્સીને ટાંકી તોડવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એજન્સી દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ઈ.સ. 1973માં બનાવેલી 50 વર્ષ જૂની 9 લાખ લીટરની ઓવરહેડ પાણીની શહેરની પ્રથમ પાણીની ટાંકી જર્જરિત હોવાને લઈને તોડવા માટે ટેન્ડર પ્રક્રિયા બાદ રવિવારે સવારે 8 કલાકથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી પાણી ભરવાનું બંધ કરવામાં આવ્યું હતું. તો એ-ડીવીઝન અને બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારનો શહેરના ટાવર ચોકથી મહાવીરનગર જવાનો રેલવે ઓવરબ્રીજ પર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવીને બંધ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.