હિંમતનગર સિવિલમાં યુવકને સારવાર ન મળી હોવાનો આક્ષેપ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરથી રામુપર જતા યુવકનું બાઇક સ્લીપ થતાં યુવકને હિંમતનગર સિવિલમાં લવાતાં તેને સારવાર ન મળી હોવાનો આક્ષેપ યુવકને અને તેના સગાંઓએ કર્યો હતો.હિંમતનગર થી રામપુરા જઈ રહેલ યુવકને શુક્રવારે બાઈક સ્લીપ થઈ જતા માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી તેને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લાવવામાં આવતા તબીબોની હાજરી ન હોવાને કારણે સારવાર મળી ન હતી અને પરિવાર તથા સગા સંબંધીઓમાં ભારે રોષ પેદા થયો હતો.

આ અંગે ઇજાગ્રસ્ત અજયભાઈ મુકેશગીરી ગોસ્વામીના કાકા નિલેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે હિંમતનતગર સિવિલ હોસ્પિટલના જેટલા પણ સર્જનના નંબર અને નામ લખ્યા હતા તમામનો ફોન કરીને સંપર્ક કરવા છતાં એક પણ તબીબે ફોન રિસિવ કર્યો ન હતો અને સિવિલનો સ્ટાફ પણ ગંભીર ઇજાઓ હોવાને કારણે સારવાર કરવા અસમર્થ હતો એને કારણે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની મજબૂરી પેદા થઈ હતી.અત્રે નોંધનીય છે કે સિવિલમાં ઇમર્જન્સીની સ્થિતિમાં સારવાર મળતી ન હોવાની અવારનવાર ફરિયાદો ઊભી થાય છે અને સિટી સ્કેન તથા સોનોગ્રાફી માટે પણ બહાર જવું પડતું હોવાની ફરિયાદ સામાન્ય બની રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.