અમૃત ભારત સ્કીમમાં હિંમતનગર રેલ્વે સ્ટેશનનો સમાવેશ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય હિંમતનગરથી અમદાવાદ ઉદેપુર રેલ્વે લાઈન પસાર થાય છે. જે મીટરગેજ લાઈનને રૂપાંતર કરી બ્રોડગેજ કરવામાં આવ્યા બાદ છ રેલ સેવા શરુ કરવામાં આવ્યા બાદ હવે અમૃત ભારત સ્કીમમાં હિંમતનગર રેલ્વે સ્ટેશનનો સમાવેશ થયો છે. જેને લઈને વહીવટી કામગીરી શરુ થઇ છે. અગામી દિવસમાં અમદાવાદ રેલ્વે ડિવિઝનના ડીઆરએમ અધિકારીઓ સાથે હિંમતનગરની મુલાકાત લઇ શકે છે. તો બીજી બે દિવસ પહેલા સાંસદ અને સ્થાનિક ધારાસભ્યએ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

અસારવા-ઉદેપુર બ્રોડગેજ લાઈન બાદ રેલસેવા શરુ થઇ છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા દેશમાં અમૃત ભારત સ્કીમમાં રેલ્વે સ્ટેશનને ડેવલપ કરીને કોર્પોરેટ સ્ટેશન બનાવવાના છે. ત્યારે આ સ્કીમમાં અમદાવાદ ડિવિઝનના 10 રેલ્વે સ્ટેશન પૈકી હિંમતનગર રેલ્વે સ્ટેશનનો સમાવેશ થયો છે.

આ અંગે સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડે હિંમતનગર રેલ્વે સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધા બાદ વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર રેલ્વે સ્ટેશન અમૃત ભારત હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. અગામી દિવસમાં સ્ટેશન રિડેવલપની કામગીરી શરુ થશે અને કોર્પોરેટ સ્ટેશન બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.