![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/29-10.jpg)
હિંમતનગરના બજારોમાં પાલિકાએ રોડ પર ઘાસચારો વેચવા કે ફેંકવા પર રોક લગાવી
હિંમતનગરના બજારોમાં દિવાળી બાદ આજે ઉત્તરાયણ પૂર્વે ખરીદી માટે બપોર બાદ ધીરે ધીરે ભીડ થતી જોવા મળી છે. ત્યારે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળે રોડ પર ઘાસચારો વેચવો નહિ કે નાખવો નહિ નહીતર વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવશે.હિંમતનગરના હેરીટેજ રોડ, ટાવર ચોક, સ્ટેશન રોડ અને મહાવીરનગર ચાર રસ્તા, કેનાલ ફ્રન્ટના આસપાસના વિસ્તારમાં રોડ પર ઉત્તરાયણ પૂર્વે શનિવારે બપોરે બાદ ખરીદી માટે આવતા ગ્રાહકો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ઉત્તરાયણને લઈને ટોપી, ભૂંગળા સહિતની અવનવી ચીજવસ્તુઓના વેચાણ માટે રોડ પર ખડકલો લાગી ગયો છે.બીજી તરફ બોર, શેરડી, તલ સાંકડી, લાડુ સહિતના વેચાણ માટે રોડ સાઈડે ખડકાઈ ગયું છે. હેરીટેજ રોડ પર પતંગો અને દોરીની દુકાનમાં ગ્રાહકો જોવા મળ્યા હતા. હેરીટેજ રોડ, ટાવર ચોક, સ્ટેશન રોડ પર શહેરીજનોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ટાવરથી મહાવીરનગર તરફ જવાના રેલવે ઓવરબ્રિજ પર એક સાઈડે ખરીદી માટે આવેલા લોકોના વાહનો પાર્કિંગ કરેલા જોવા મળ્યા હતા. ટાવરથી બગીચા તરફ જવાના રોડ પર શેરડી સહિતની ચીજવસ્તુઓના વેચાણ માટેનું બજાર બની ગયું છે.
ઉત્તરાયણને લઈને બી ડિવિઝન પોલીસ પણ બજારમાં વિવિધ પોઈન્ટ પર મુકવામાં આવી છે. ત્યારે બપોર બાદ આ વિસ્તારમાં ધીરેધીરે ભીડ જોવા મળી રહી છે. રાત્રે હેરીરેજ રોડ, ટાવર ચોક અને મહાવીરનગર ચાર રસ્તે શહેરીજનોની ખરીદી માટે ભારે ભીડ જોવા મળશે. જેની શરૂઆત હાલમાં થઇ ગઈ છે.હિંમતનગર નગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારમાં રોડ પર અને જાહેર જગ્યાએ ઉત્તરાયણના દિવસે પુણ્યદાન માટે શહેરીજનો કે વેચનારા માટે સૂચનાઓ સાથેનું સુચન બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં નગરજનોને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે કોઈપણ જાતનું ઘાસ જાહેર રસ્તાઓ ઉપર ગંદકી થાય તે રીતે નાખવું નહિ કે વેચાણ કરવું નહિ અન્યથા જે તે ઇસમ પાસેથી સ્થળ ઉપર વહીવટી ચાર્જ વસુલવામા આવશે.