સાબરકાંઠામાં જળાશયમાં પાણીની આવક ઓછી પણ યથાવત, જળાશય 98 ટકા ભરાયો

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં સારો વરસાદ અને એ પણ મઘા નક્ષત્રમાં ધોધમાર વરસાદને લઈને નદી-નાળા જીવંત થયા છે, તો તળાવ અને ચેકડેમ ભરાયા છે તો જળાશયમાં પણ આવત થતા એક જળાશય 100 ટકા ભરાયું તો બીજી જળાશય 100 ટકાથી બે ટકા ઓછુ છે, તો વરસાદે વિરામ લીધા બાદ પણ જળાશયમાં પાણીની આવક થઇ રહી છે પણ પ્રમાણ ઓછુ છે.

100 ટકા ભરાયેલ હાથમતી જળાશય ઓવરફલો થયો છે, તો છેલ્લા નવ દિવસથી પાણીની આવક ચાલી રહી છે, હાલમાં 865 કયુસેક આવક અને 865 કયુસેક જાવક નોધાઇ છે. વર્ષો બાદ પાણી ભરાયેલ ગુહાઈ જળાશય 81 ટકા ભરાયો છે, તો 100 કયુસેક પાણીની આવક છે. તો હરણાવ જળાશય 98 ટકા ભરાયો છે. હાલમાં 50 કયુસેક પાણીની આવક આવી રહી છે અને ખેડવા જળાશય 65 ટકા ભરાયું છે, જેમાં 200 કયુસેક પાણીની આવક છે, તો 170 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. જેમાં 30 કયુસેક કેનાલમાં અને 140 કયુસેક નદીમાં પાણી વહી રહ્યું છે. જવાનપુરા બેરેઝમાં 1797 કયુસેક આવક અને 1797 કયુસેક પાણીની જાવક ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.