સાબરકાંઠામાં તા. ૨૨ ફેબ્રુઆરીએ પ્રખરતા શોધ પરીક્ષા લેવાશે

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્રારા માન્યતા પ્રાપ્ત રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે ધોરણ-૯ના વિધાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધ કસોટી તા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ લેવામાં આવશે. આ કસોટી આપનાર પરીક્ષાર્થીઓની પ્રવેશિકા( હોલ ટિકિટ) બોર્ડની વેબસાઇટ ખ્તજીહ્વ.ર્ખ્તિ અથવા ંજં.ખ્તજીહ્વરં.ૈહ પરથી શાળા દ્રારા ડાઉનલોડ કરીને તેની પ્રિંટ કાઢીને ખરાઇ કરીને તેમાં પરીક્ષાર્થીની સહી, વર્ગશિક્ષકની સહી તેમજ આચાર્યના સહી-સિક્કા કરીને પરીક્ષાર્થીઓને આપવાના રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.