સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસામાં ત્રણ જળાશયોમાં આવક બંધ

સાબરકાંઠા
સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લામાં વરસાદના વિરામના બીજા દિવસે તડકો નીકળતા ઉઘાડ થયો છે. તો બીજી તરફ જિલ્લામાં ચાલી રહેલા ચોમાસાની શરૂઆતમાં વરસાદના બે રાઉન્ડમાં સેરરાશ 50.95 ટકા વરસાદ નોંધાયો છે. તો જિલ્લાના જળાશયોમાં આવક પણ બંધ થઇ છે. બે બેરેજમાં આવક ઘટી છે. સાબરકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ 50.95 ટકા થઇ ગયો છે. ત્યારે હજી ચોમાસું બાકી છે,

સાબરકાંઠા જિલ્લાના જળાશયોની વાત કરીએ તો હાલમાં ત્રણ જળાશયોમાં પાણીની આવક બંધ થઇ છે. જેમાં 50.67 ટકા પાણી ભરાયેલા ગુહાઈ જળાશયમાં 41.01 ટકા પાણી ભરાયેલું છે. હાથમતી જળાશયમાં 54.87 ટકા, હરણાવ જળાશયમાં પાણીની આવક બંધ થઇ છે. તો ખેડવા જળાશયમાં 30 ક્યુસેક પાણીની આવક ચાલી રહી છે. તો મેશ્વો નદી પર તલોદ તાલુકામાં આવેલા બે બેરેજમાં પાણીની આવક-જાવક ઘટી છે. જેમાં જવાનપુરા બેરેજમાં 148 ક્યુસેક પાણીની આવક અને 148 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. તો ગોરઠીયા બેરેજમાં 200 ક્યુસેક પાણીની આવક અને 200 ક્યુસેક પાણીની જાવક ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.