સાબરકાંઠા જીલ્લામાં 28 વર્ષે ગુહાઈ જળાશય 91.55 ટકા ભરાયો, છેલ્લે 1994માં જળાશય પુરેપુરો ભરાયો હતો

સાબરકાંઠા
સાબરકાંઠા

છેલ્લા 4 દિવસથી વરસાદ વરસવાને લઈને જળાશયમાં પાણીની આવક ચાલી રહી છે. ત્યારે જીલ્લાના બે જળાશય 100 ટકા ભરાયા છે અને સાથે જવાનપુરા બેરેજ પણ 100 ટકા ભરાયો છે. ત્યારે હવે ત્રીજો જળાશય પણ 100 ટકા નજીક પહોંચી ગયો છે. જેને લઈને ઇડર અને હિંમતનગર તાલુકાના 29 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે.

જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી એક વિજયનગર તાલુકામાં એક મીમી વરસાદ નોંધાયો હતો. તો જીલ્લામાં આકાશ વાદળોથી ઘેરાયું છે, ત્યારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસવાને લઈને જીલ્લાના જળાશયોમાં પાણીની આવક યથાવત છે. ત્યારે 91.50 ટકા ભરાયેલ ગુહાઈમાં પાણીની આવક ઘટી છે અને હાલમાં 100 ક્યુસેક પાણીની આવક છે. 100 ટકા ભરાયેલ હાથમતી જળાશયમાં 1780 ક્યુસેક પાણીની આવક અને 1780 ક્યુસેક પાણીની જાવક છે. 100 ટકા ભરાયેલ હરણાવ જળાશયમાં પાણીની આવક બંધ થઇ છે. 70.25 ટકા ભરાયેલ ખેડવા જળાશયમાં 275 ક્યુસેક પાણીની આવક અને 275 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ છે. તો 100 ટકા ભરાયેલ જવાનપુરા બેરેજમાં 4390 ક્યુસેક પાણીની આવક અને 4390 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.