હિંમતનગરમાં યુવકે ગળાના ભાગે ચપ્પુના ઘા મારી મોતને વ્હાલુ કર્યુ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરની મધુવન સોસાયટીમાં રહેતા યુવકે ગતરોજ દરમિયાન કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે જ ગળાના ભાગે ચપ્પાના ઘા મારી મોતને વ્હાલુ કર્યુ હતુ. ઘરના અંદરના દરવાજાઓ બંધ કરીને મોતને ભેટનાર યુવકની લોહીલુહાણ હાલતમાં લાશ ગતરાત્રે મળી આવતા હિંમતનગર એ-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મકાન નં-3 મધુવન સોસાયટીમાં ભાડે રહેતા ચિંતનભાઇ હસમુખલાલ સોની (ઉ.વ.38) બુધવારે રાત્રિના સુમારે પોતાની જાતે ઘરનો અંદરનો દરવાજો બંધ કરીને ઘરમાં કોઇપણ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળાના ભાગે ચપ્પાના ઘા મારીને મોતને વ્હાલુ કર્યુ હતું. ઘટનાની જાણ થતા આસપાસના ગત રાત્રે લોકોએ હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ કરતા એ-ડિવિઝન ડીવાયએસપી એ.કે.પરમાર,પી.આઇ.બી.વી.ડોડીયા તેમની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દરવાજો ખોલી ઘરમાં જોતા ચિંતનભાઇ હસમુખલાલ સોનીની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગેની જાણ થતા નરોડા ખાતે રહેતા તેમના ભાઇ અંજુલકુમાર હસમુખલાલ સોની હિંમતનગર ખાતે દોડી આવ્યા હતા.કયા કારણોસર ચિંતનભાઇ હસમુખલાલ સોનીએ ગળાના ભાગે ચપ્પાના ઘા મારી આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર મૃતકએ ઘરના અંદરના દરવાજાને બંધ કરી રાખ્યો હતો. કયા કારણોસર આવુ કૃત્ય કર્યુ છે તે અંગે પણ પોલીસે આસપાસમાં રહેતા લોકોનો સંપર્ક કરી જાણકારી મેળવી રહી છે. આર્થીક સંકળામણ કારણે કે શારીરિક તકલીફ કે અન્ય કોઇ કારણોસર પોતાની જાતે ચપ્પાના ઘા મારી યુવકે જીવન ટુંકાવ્યુ છે. ત્યારે યુવકના મૃતદેહને બુધવારે મોડી રાત્રે હિંમતનગર સિવિલમાં પીએમ માટે ખસેડાયો હતો. જ્યાંથી ગુરુવારે સવારે અમદાવાદ ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.