પ્રાંતિજના અંબાવાડામાં વરઘોડામાં કાર અડી જવા મામલે જૂથ અથડામણ થતાં પથ્થરમારો

સાબરકાંઠા
સાબરકાંઠા

પ્રાંતિજના અંબાવાડામાં ગત રાત્રે વરઘોડામાં ઇકો કાર અડી જવાને લઈ ને બીજા દિવસે એકજ સમાજના બે જૂથો વચ્ચે સામ-સામે આવી જતાં પથ્થરમારો થતાં પ્રાંતિજ અને હિંમતનગર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ગામને પોલીસ છાવણીમાં ફેરવી દીધું હતું. અંબાવાડામાં ગત રાત્રિએ વરઘોડો નીકળ્યો હતો. તે સમયે એક ઇકો ચાલક નીકળ્યો હતો અને ચાલુ વરઘોડામાં ઘૂસી જતાં મહિલાને ઇજાઓ પહોંચાડતા તું તું મેં…મેં…બાદ રાત્રિના સમયે તો મામલો શાંત પડ્યો હતો.

પણ બીજા દિવસે ફરી મામલો બિચક્યો હતો જેમાં એક સમાજના લોકો આમને સામને આવી જતા બોલાચાલી સામ-સામે પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં પથ્થરમારામાં છ થી પણ વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે પોલીસ ને જાણ થતા પ્રાંતિજ પોલીસ તથા હિંમતનગર પોલીસની ટીમ તાત્કાલિક અંબાવાડા ગામે દોડી જઈ હતી અને મામલો શાંત પાડ્યો હતો અને આખુંય ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. પ્રાંતિજ પોલીસે તપાસ પણ હાથ ધરાઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.