હિંમતનગર હાથમતી કેનાલ ગંદકીથી ખદબદી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરની હાથમતી કેનાલ પર બ્યુટીફીકેશન કરી તેને કેનાલ ફ્રન્ટ નામ આપવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ વર્ષ 2014માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ બાદ પાલિકાની બેદરકારી જોવા મળી છે અને સફાઈનો અભાવ દેખાયો હતો.

કેનાલ ફ્રન્ટ પાર એક તરફ બગીચો બીજી તરફ કેશવ કોમ્પ્લેક્ષ અને પાછળ ગટરો ઉભરાતી જોવા મળી રહી છે. કેનાલ ફ્રન્ટ ઉતરવાની સીડીઓ પણ ગંદકીથી ખદબદે છે. તો બીજી તરફના ખાણી પીણી બજાર સામેના ભાગ કેનાલ ફ્રન્ટને તો કચરા પેટી બનાવી દીધી છે. કોઈ ને કોઈ જ દરકાર નથી. હિંમતનગર શહેરમાં શહેરીજનો માટે હરવા ફરવા માટે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલે વિચારનો અમલ કર્યો હતો. શહેરના મહાવીરનગરથી છાપરિયા ચાર રસ્તા સુધીના હાથમતી કેનાલનું બ્યુટીફીકેશન કર્યું હતું.

રાજ્યના તાત્કાલિક મુખ્ય મંત્રી અને હાલમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં લોકાર્પણ કર્યું હતું. હાલમાં પણ તે તકતી જોવા મળે છે તો આઠ વર્ષ બાદ પણ પાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ પર સફાઈ અભિયાનમાં અભાવ જોવા મળી રહ્યો છે. કેનાલમાં વહેતું પાણી બંધ થતા કેનાલમાં ગંદકી જોવા મળે છે અને સફાઈ પણ જોવા નથી મળતી તો કેનાલ ફ્રન્ટ પર લગાવેલ કચરા પેટી પણ તૂટી ગયેલી જોવા મળી હતી. કેનાલ તરફ ફ્રન્ટ પરથી ઉતરવાની સીડીઓ પર ગંદકી છે. કેનાલમાં પણ બાકોરા પડેલા જોવા મળ્યા છે. કેનાલ ફ્રન્ટ પરના કોમ્પ્લેક્ષ પાછળ ગટરો પણ ઉભરાયેલી જોવા મળે છે. રાત્રી દરમિયાન લગાવેલી કેટલીક લાઈટો બંધ જોવા મળે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.