હિંમતનગર: ગોગા મહારાજનું વર્ષો જૂનું મંદિર તોડી પડાયું, મૂર્તિઓ રઝળતી મૂકાતા લોકોમાં રોષ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર ચિલોડા નેશનલ હાઇવે સિક્સલેન કરવામાં આવી રહ્યો છે. અહીં સાબર ડેરીની પાસે આવેલા વર્ષો જૂના ગોગા મહારાજના મંદિરને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. 150થી 200 પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગ્રામજનોને અંધારામાં રાખીને મંદિરમાં રહેલી મૂર્તિઓનું વિધિવત ઉત્થાપન કર્યા વગર રઝળતી મૂકી દેવામાં આવી છે. આ કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • 50 વર્ષ જૂનું છે મંદિર

લોકોનું કહેવું છે કે, આ મંદિર 50 વર્ષ જૂનું છે. અહીં દર વર્ષે નાગ પંચમીનો મેળો ભરાય છે. લોકોએ કહ્યું કે, જો મંદિર નડતું હતું તો વૈકલ્પિક જગ્યાએ મંદિર બનાવવાની અમારી રજૂઆતને ધ્યાને લેવાની જરૂર હતી. તેમણે કહ્યું કે આ વિશે સાંસદને પણ રજૂઆત કરવામાં આવી હતી. મંદિરને ધ્વસ્ત કરવામાં આવતા અને મૂર્તિઓને વિધિવત રીતે ઉત્થાપન કર્યા વગર જે રીતે હટાવવામાં આવી તેનાથી શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચી છે અને આ કારણે શ્રદ્ધાળુઓ નારાજ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.