હિંમતનગર : કોરોના મહામારીમાં સેવામાં મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર IMA દ્વારા ગઈકાલે સાંજે કોરોના મહામારી સેવામાં મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરીને શ્રદ્ધાજંલિ આપી હતી. ત્યાર બાદ તબીબોના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું. મહામારીમાં હિંમતનગરમાં બે તબીબો મૃત્યુ પામ્યા હતા.

આ અંગેની વિગતે એવી છે કે, ગુજરાત IMA આદેશ મુજબ રાજ્યની તમામ શાખાઓમાં કોરોના મહામારીમાં સેવામાં મૃત્યુ પામેલા તબીબોને કેન્ડલ માર્ચ કરી તબીબોમાં પરિવારનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવાને પગલે 280 સભ્યો ધરાવતી હિંમતનગર IMA શાખાના તબીબો દ્વારા મંગળવારે મોડી સાંજે હિંમતનગરના આરોગ્યનગરથી કોરોના મહામારીમાં સેવમાં મૃત્યુ પામેલા તબીબોને શ્રદ્ધાજંલી અર્પણ કરવા મીણબતી સળગાવી કેન્ડલ માર્ચ કરી હતી. જે કેન્ડલ માર્ચ પોસ્ટ ઓફીસ પાસેના રેડક્રોસ ભવન પહોંચી હતી. જ્યાં કેન્ડલ માર્ચ પૂર્ણ થયા બાદ રેડક્રોસ ભવનના હોલ ખાતે હિંમતનગરના બે તબીબો કોરોનામાં સેવામાં મૃત્યુ પામ્યા હતા તેમના પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.