સાબરકાંઠામાં હાથમતી જળાશય ઓવરફ્લો થતા

સાબરકાંઠા
સાબરકાંઠા

હાલમાં સાબરકાંઠા જીલ્લામાં વરસાદે વિરામ લીધો છે, તો સારા ચોમાસાને લઈને જળાશયોમાં પાણીની આવક સારા પ્રમાણમાં થઇ રહી છે. નદીઓમાં સતત પાણી વહેતા નદી કિનારાના ગામોના કુવા બોરના તળ પણ ઊંચા આવશે. હાથમતી જળાશય ઓવરફલો થવાને લઈને સાત થી વધુ કોઝ-વે પાણીમાં ગરકાવ છે, જેમને કિલોમીટર વધી ગયા છે.

આ અંગે હિંમતનગર સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે બે વર્ષ બાદ હાથમતી જળાશય ઓવરફલો થયો છે. હાલમાં જળાશયમાંથી 2 હજાર કયુસેક પાણી વહી રહ્યું છે, જ્યાંથી હિંમતનગર વેસ્ટ વિયર સુધી 35 કિમી હાથમતી નદી પર ગામડાઓના સાત થી વધુ કોઝ-વે આવેલા છે.

જેને હાથમતી નદીના પાણીની અસર થઇ છે. જેને લઈને હિમતનગરના જાંબુડી થી લાલપુર, જાંબુડી થી કુંપ, જાંબુડી થી સુરપુર, પ્રતાપપુરા થી ડેમાઈ, બલોચપુરથી ચોટીલા, નાનીડેમાઈથી ઘોરવાડા, ચાંદરણીથી વાસણા સહિતના કોઝ-વે પર પાણી વહેતા ગરકાવ થયા છે. જેને લઈને ગ્રામજનો, ખેડૂતો અને વિધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને કિલોમીટર પણ વધી ગયા છે. જેને લઈને ખર્ચ પણ વધે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.