હિંમતનગર-દાવડ રોડ ઉપર મુનપુર પાટિયે રિક્ષા પલટતાં પાંચ ઇજાગ્રસ્ત

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગર દાવડ રોડ પર મુનપુર પાટિયા પાસે સપ્તાહ અગાઉ ઇડર તરફ જઈ રહેલ રિક્ષા ના ચાલકે અચાનક બ્રેક મારતા રિક્ષા પલટી જતાં ચાલક સહિત પાંચને ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. ગત તા. 01-05-22 ના રોજ સવારે રમેશભાઇ કાન્તીભાઇ પરમાર (રહે.કાનડા તા.હિમતનગર)ના દીકરા પ્રિન્સને તેમના સસરા પુંજાભાઇ દેવાભાઇ પરમાર (રહે.ચિત્રોડી ના,ઇડર)ના ઘેર જવાનું હોઇ તેને ભાડુ આપી રમેશભાઈ અને તેમની પત્ની મજૂરી હિંમતનગર જવા નીકળી ગયા હતા અને આશરે 10 વાગ્યાની આસપાસ તેમને ફોનથી જાણ થઈ હતી કે તમારા દીકરાને અકસ્માત થયેલ છે અને 108 માં હિંમતનગર સિવિલ લઇ જઇએ છીએ.

જેથી રમેશભાઈ હિંમતનગર સિવિલમાં જતાં પ્રિન્સે જણાવેલ કે ચિત્રોડી જવા કાનડા બસ સ્ટેશનથી રિક્ષા આવતા ત્રણ પેસેન્જર પાછળ બેસેલ હોય જગ્યા ન હોવાથી ડ્રાઇવરની બાજુમાં બેઠો હતો અને કાનડાથી દાવડ બાજુ જતા રોડ ઉપર મુનપુર પાટિયા નજીક ચાલકે બ્રેક મારતાં રિક્ષા પલ્ટી જતાં બધાને ઇજાઓ થતા એક પેસેન્જરે ફોન કરતાં 108 માં સારવાર અર્થે લઈ જવાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.