હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સોશિયલ મીડિયા થકી સાવચેત કરાયા
હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા સોશિયલ મીડિયા થકી ખેડૂતોને કમોસમી વરસાદની આગાહીને લઈને સાવચેત કરી રહ્યા છે. ખેડૂતોને પોતાનો પાક ઢાંકવો અને વેચાણ સારું લાવવા માટે ઢાંકીને લાવવા જણાવાયું છે.
માર્ચની શરૂઆતથી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી છે. જેને લઈને હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલમાં હિંમતનગર માર્કેટયાર્ડ ખેડૂતો મગફળી, એરંડા, રાયડો, ઘઉં, બાજરી, મકાઈ, કપાસ અને સોયાબીન આવક થઈ રહી છે, ત્યારે 1 માર્ચથી 5 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી છે. જેથી ખેડૂતોનો પાકને નુકશાન થાય નહીં
જેથી હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા સોશિયલ મીડિયામાં અનાજના ભાવોની જાણકારી સાથે જાહેર સૂચના લખીને તમામ ખેડૂતભાઈઓ તથા વેપારીઓને જણાવવાયું હતું કે, 1/3/24થી 5/3/24 સુધી કમોસમી વરસાદ થવાની સાંભવના હોય ખુલ્લામાં પડેલ ખેત પેદાશો પલળે નહીં તેમ યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવા વિનંતી, તેમજ માર્કેટયાર્ડમાં વેચાણ સારું લઈ આવતા પહેલાં ખેત પેદાશો યોગ્ય રીતે ઢાંકીને લાવવા વિનંતી.